પીએમ મોદીને શિવસેનાની અપીલ, દેશભરમાં બુરખા પર લગાવો પ્રતિબંધ
પીએમ મોદીને શિવસેનાની અપીલ, દેશભરમાં બુરખા પર લગાવો પ્રતિબંધ
નવી દિલ્હીઃ ચૂંટણી માહોલમાં શિવસેનાએ વિવાદિત નિવેદન આપ્યું છે. પાર્ટીએ પોતાના મુખપત્ર સામનામાં માગણી કરી છે કે બુરખા પર પ્રતિબંધ લગાવવામાં આવે. પીએમ મોદી સમક્ષ શિવસેનાએ માંગણી રાખી છે કે આખા દેશમાં બુરખા પર પ્રતિબંધ લગાવવો જોઈએ. શિવસેનાનું કહેવું છે કે જેવી રીતે શ્રીલંકાએ બુરખા પર પ્રતિબંધ લગાવ્યો છે તે રસ્તે જ ચાલીને ભારતે પણ બુરખા પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. જણાવી દઈએ કે શ્રીલંકાની સરકારે હાલમાં જ સિરિયલ બ્લાસ્ટ બાદ આખા દેશમાં બુરખા સહિત મોઢું ઢાંકી શકાય તેવા માસ્ક વગેરે જેવી વસ્તુ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ સિરિયલ બ્લાસ્ટ ઈસ્ટરના અવસરે થયા હતા, જેમાં 250 જેટલા લોકોના જીવ ગયા હતા.

દેશભરમાં બુરખા પર પ્રતિબંધ
શિવસેનાનું કહેવું છે કે સરકારે માત્ર ત્રિપલ તલાક જ નહિ બલકે બુરખા પર પણ દેશભરમાં પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. મુખપત્ર સામનામાં છપાયેલ તંત્રીલેખમાં પીએમ મોદી પાસે માંગણી કરવામાં આવી છે કે જો શ્રીલંકા રાવણનો દેશ થઈને પણ બુરખા પર પ્રતિબંધ લગાવી શકે છે તો આખરે ભારત કેમ નહિ, જ્યારે ભારત તો રામનો દશ છે. સાથે જ શિવસેનાએ ગૃહ મંત્રાલયને લેખિતમાં માંગ કરી છે કે આખા દેશભરમાંથી બુરખા જેવી વસ્તુ પર પ્રતિબંધ લગાવવામાં આવે. લોકોને નકાબ પહેરી સાર્વજનિક સ્થળ, સરકારી કે પ્રાઈવેટ સંસ્થાનોમાં જવાની મંજૂરી ન હોવી જોઈએ, ભારતે પણ શ્રીલંકાના રસ્તે ચાલવું જોઈએ.

ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો
ગૃહ મંત્રાલયને લખેલ પત્રમાં શિવસેના તરફથી કહેવામાં આવ્યું છે કે અમે તમારી સમક્ષ અપીલ કરીએ છીએ કે તમે એવા પ્રકારની નીતિ બનાવો, જેનાથી ભારતમાં આવા પ્રકારના આતંકી હુમલા ટાળી શકાય. અમે અપીલ કરીએ છીએ કે તમે નકાબને પૂરી રીતે પ્રતિબંધીત કરી દો. મહિલાઓને સાર્વજનિક સ્થલોએ નકાબ પહેરીને જવાની મંજૂરી ન હોવી જોઈએ. આવા પ્રકારના નકાના કારણે આતંકી પોતાનો ચેહરો છૂપાવી લે છે અને સીસીટીવી કેમેરામાં દેખાતા નથી. શ્રીલંકની સરકારે પહેલા જ આ નીતિ લાગૂ કરી દીધી છે.

શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ
જણાવી દઈએ કે ઈસ્ટરના અવસર પર શ્રીલંકમાં 8 જેટલા સિરિયલ બ્લાસ્ટ થયા, જેમાં 250 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ શ્રીલંકાએ આ હુમલા પાછળ ષડયંત્રકારોને પકડવા માટે ધરપકડને તેજ કરી દીધી હતી. કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ શ્રીલંકામાં બુરખા નકાબ સહિતની વસ્તુ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
