ભારતીય સેના પર FIRના મામલે સુબ્રમણ્યમ સ્વામીના નિશાને રક્ષામંત્રી
સેના પર એફઆઇઆરની વાત સ્વીકારવા તૈયાર નથી સુબ્રમણ્યમ સ્વામીરક્ષામંત્રી નિર્મલા સીતારમણ પર સાધ્યું નિશાનઆ અંગે વધુ વાંચો અહીં...
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પથ્થરમારો પર સેના દ્વારા કરવામાં આવેલ ગોળીબાર મામલે સેના સામે નોંધવામાં આવેલ એફઆઇઆરમાં ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પર સવાલ ઊભા કર્યા હતા. આ પહેલીવાર નથી જ્યારે સુબ્રમણ્યમ સ્વામીએ પાર્ટીના જ કોઇ નેતા પર નિશાન સાધ્યું હતું. રક્ષામંત્રી દ્વારા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીના નિવેદનનું ખંડન કરવાના મામલે સુબ્રમણ્યમ સ્વામીએ તેમની આલોચના કરી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું છે કે, 'એફઆઇઆર પર જમ્મુ-કાશ્મીરના સીએમ મેહબૂબા મુફ્તીએ વિધાનસભામાં આપેલ નિવેદનનું રક્ષામંત્રીએ ખંડન નથી કર્યું. આ મામલે રક્ષામંત્રીની એક અઠવાડિયાની ચુપ્પીને પાર્ટીએ ધ્યાનમાં લેવી જોઇએ. અમે સેના પર એફઆઇઆર દાખલ કરવાની વાતનો સ્વીકાર નહીં કરી શકીએ. જો કે, હજુ સુધી આ ટ્વીટ અંગે રક્ષામંત્રી તરફથી કોઇ નિવેદન નથી આવ્યું.'

ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડિયે 10 ગઢવાલ રાયફલ્સના સૈનિકોનો કાફલો મૂવમેન્ટ માટે બાલપુરાથી અન્ય ઠેકાણે જઇ રહ્યો હતો. તેમની પર સ્થાનિક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. સેનાના જેસીઓ દ્વારા ભીડને સમજાવવાની કોશિશ કરવામાં આવી હતી, આમ છતાં પથ્થરમારો ચાલુ રહ્યો હતો. આ દરમિયાન પથ્થર વાગતા જેસીઓ બેભાન થઇ ગયા હતા. એ પછી હવામાં ત્રણથી ચાર રાઉન્ડનો ગોળીબાર કરી પથ્થરબાજોને ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ ભીડ વધારે ઉગ્ર બની હતી. સેનાએ સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો, જેમાં 3 લોકોનું મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસે સેનાના એખ મેજર અને જવાનો વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી અને સેનાએ પણ એક કાઉન્ટર એફઆઇઆર નોંધાવી હતી. આ મામલે હવે રાજકીય વાતાવરણ ગરમાયું છે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
