ભારતીય સેના પર FIRના મામલે સુબ્રમણ્યમ સ્વામીના નિશાને રક્ષામંત્રી
સેના પર એફઆઇઆરની વાત સ્વીકારવા તૈયાર નથી સુબ્રમણ્યમ સ્વામીરક્ષામંત્રી નિર્મલા સીતારમણ પર સાધ્યું નિશાનઆ અંગે વધુ વાંચો અહીં...
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પથ્થરમારો પર સેના દ્વારા કરવામાં આવેલ ગોળીબાર મામલે સેના સામે નોંધવામાં આવેલ એફઆઇઆરમાં ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પર સવાલ ઊભા કર્યા હતા. આ પહેલીવાર નથી જ્યારે સુબ્રમણ્યમ સ્વામીએ પાર્ટીના જ કોઇ નેતા પર નિશાન સાધ્યું હતું. રક્ષામંત્રી દ્વારા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીના નિવેદનનું ખંડન કરવાના મામલે સુબ્રમણ્યમ સ્વામીએ તેમની આલોચના કરી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું છે કે, 'એફઆઇઆર પર જમ્મુ-કાશ્મીરના સીએમ મેહબૂબા મુફ્તીએ વિધાનસભામાં આપેલ નિવેદનનું રક્ષામંત્રીએ ખંડન નથી કર્યું. આ મામલે રક્ષામંત્રીની એક અઠવાડિયાની ચુપ્પીને પાર્ટીએ ધ્યાનમાં લેવી જોઇએ. અમે સેના પર એફઆઇઆર દાખલ કરવાની વાતનો સ્વીકાર નહીં કરી શકીએ. જો કે, હજુ સુધી આ ટ્વીટ અંગે રક્ષામંત્રી તરફથી કોઇ નિવેદન નથી આવ્યું.'

ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડિયે 10 ગઢવાલ રાયફલ્સના સૈનિકોનો કાફલો મૂવમેન્ટ માટે બાલપુરાથી અન્ય ઠેકાણે જઇ રહ્યો હતો. તેમની પર સ્થાનિક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. સેનાના જેસીઓ દ્વારા ભીડને સમજાવવાની કોશિશ કરવામાં આવી હતી, આમ છતાં પથ્થરમારો ચાલુ રહ્યો હતો. આ દરમિયાન પથ્થર વાગતા જેસીઓ બેભાન થઇ ગયા હતા. એ પછી હવામાં ત્રણથી ચાર રાઉન્ડનો ગોળીબાર કરી પથ્થરબાજોને ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ ભીડ વધારે ઉગ્ર બની હતી. સેનાએ સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો, જેમાં 3 લોકોનું મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસે સેનાના એખ મેજર અને જવાનો વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી અને સેનાએ પણ એક કાઉન્ટર એફઆઇઆર નોંધાવી હતી. આ મામલે હવે રાજકીય વાતાવરણ ગરમાયું છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
