કપિલે કૂટ્યા ફરી છાજિયા, મોદીને ફેંક્યો ચર્ચાનો પડકાર
નવી દિલ્હી, 1 નવેમ્બર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ઉપર કોંગ્રેસે જોરદાર પ્રહાર કર્યો છે. પહેલા સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ ડીએવીપી આંકડાઓ દ્વારા એ સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે યુપીએ સરકારના શાસનકાળમાં સરદાર વલ્લભભાઇ પટેલની અવગણના કરવામાં આવી નથી. ત્યારબાદ કેન્દ્રીય કાયદા અને સંચાર મંત્રી કપિલ સિબ્બલે જણાવ્યું કે મોદી ખોટા આંકડાઓ રજૂ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ નરેન્દ્ર મોદીને ચર્ચા માટે પડકાર આપે છે.
આની સાથે જ સિબ્બલે સવાલ ઊઠાવ્યો કે મોદીની વિશાળ રેલિઓ પર ખર્ચ કરવા માટે રૂપિયા ક્યાંથી આવી રહ્યા છે, જ્યારે ભાજપ બ્લેક મનીને લઇને આટલી બૂમો પાટી રહી છે. તેમણે જણાવ્યું કે 'મોદી ભવ્ય મંચ પરથી ભાષણો કરે છે. જો આપ કાળાનાણાના વિરોધી છો તો આપને પણ એ જણાવવું જોઇએ કે સ્ટેડિયમોમાં ખર્ચ થતા 10-15 કરોડ રૂપિયા ક્યાંથી આવી રહ્યા છે.' સિબ્બલે જણાવ્યું કે મોદી વડાપ્રધાન બનાવા માટે ઉત્સુક છે, પરંતુ પારદર્શિતા અને જવાબદેહીમાં વિશ્વાસ નથી રાખતા,.
સિબ્બલે એનડીએના કાર્યકાળ પર પણ નિશાનો સાધ્યો. તેમના અનુસાર, જેટલો વિકાસ એનડીએએના કાર્યકાળમાં થયો હતો, તેના ઘણોબધો વિકાસ યૂપીએ સરકારે કર્યો છે. પોતાની વાત રાખવા માટે તેમણે એનડીએ અને યૂપીએ સરકાર દરમિયાન જીડીપી અને પ્રતિવ્યક્તિ આવકના આંકડા પણ મૂક્યા. સિબ્બલ અનુસાર યુપીએના કાર્યકાળમાં જીડીપીમાં લગભગ 200 ટકાનો વધારો થયો છે જ્યારે પ્રત્યેક વ્યક્તિ આવકમાં ત્રણગણો વધારો થયો છે.