મેઘાલયમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, 6 લોકોનું મૃત્યુ
મેઘાલયમાં ભારે વરસાદને ભૂસ્ખલન થતાં 6 લોકોનું મૃત્યુ.
શનિવારે મેઘાલયમાં સતત થયેલા વરસાદને કારણે ભારે ભૂસ્ખલન થયું હતું, જેમાં 6 લોકોના મૃત્યુના સમાચાર છે. આ સિવાય એક વ્યક્તિના ગુમ થયા હોવાની અને 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના અધિકારીએ જણાવ્યું કે, રી-ભોઇ જિલ્લાના થારિયા વિસ્તારમાં એક ઇન્ડસ્ટ્રિયલ યૂનિટમાં લેન્ડસ્લાઇડને કારણે પાંચ સૂતેલા લોકોનું મૃત્યુ થયું હતું. 60 વર્ષની એક વૃદ્ધ મહિલા ગુમ થઇ છે. આ માટે રવિવારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. એસડીએરએફના અધિકારીએ જણાવ્યું કે, મૃતકોમાં મોટાભાગના મજૂર હતા, જે વેનીર પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતા હતા.

અન્ય એક ઘટનામાં પૂર્વ ખાસી પહાડી જિલ્લામાં એક વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે એક બાળકનું મૃત્યુ થયું હતું. ભૂસ્ખલનમાં એક ઘર પડી જતાં નીચે બાળકી દબાઇ ગઇ હતી. બાળકીને મળબા હેઠળથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકો અને તેમના પરિવાર માટે મુખ્યમંત્રી મુકુલ સંગામાએ શોક વ્યક્ત કર્યો હતો અને ઇન્ડસ્ટ્રિયલ યૂનિટમાં સુરક્ષા વ્યવસ્થાના આદેશ આપ્યા હતા. આ સિવાય સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીને પણ રાજ્ય સરકારે આદેશ આપ્યા હતા કે, કુદરતી આપત્તિના સમયે જાન-માલના નુકસાનને ઓછું કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
