Delhi ગણતંત્ર પહેલા પશ્ચિમ વિહારમાં દિવર ખાલિસ્તાન જિંદાબાદના સૂત્રો
દિલ્હીમાં ગણતંત્ર દિવસ પહેલા એક ગુરુદ્વારા પાસે ખાલિસ્તાન સમર્થનમાં સૂત્રો લખવામાં આવતા દિલ્હી પોલીસ હરકતમાં આવી ગઇ હતી. દિવાલ પર ખાલિસ્તાન જિંદાબાદના સૂત્રો લખવામાં આવ્યા હતા.
દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં એક ગુરુદ્વારાની એક દિવાલ પર ખાલિસ્તાન જિંદાબાદ અે રેફરેંડમ 2020 નું સૂત્ર નજર આવ્યુ હતુ. પોલીસેને આ અંગે માહિતી આપવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચીને દિવાલ પર લખેલા સૂત્રને હટાવી દિધુ હતુ. દિલ્હી પોલીસ પીઆરો સુમન નલવાએ કહ્યુ કે, અણુક લોકોએ દિલ્હમાં અમુક જગ્યાએ દેશ વિરોધી ખાલિસ્તાન સંબંધી સૂત્રો દવાલ પર લખ્યા હતા. તે સુરક્ષા સાથે જોડાયેલા બાબત નથી. આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.
સુમન નલવાએ કહ્યુ કે, દિલ્હી પોલીસનો દરેક વર્ગ એ સુનિશ્ચિત કરી રહ્યો છે. ગણતંત્ર દિવસ નજીક આવતા પહેલા કોઇ પણ પ્રકારની ખોટી ગતિવિધિ ના થાય. તેનાથી આપણી સુરક્ષા પ્રભાવિત નથી થીતી. કેમ કે, એસએફજે સિખ ફોર જસ્ટીસ પર પ્રતિબંધ સંગઠન છે, એટલે તે ખુદને ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ખબરોમાં આવવા માંગે છે.
દિલ્હી પોલીસે જણાવ્યુ હતુ કે, પશ્ચિમ વિહાર વિસ્તારમાં દિવાલ પર ખાલિસ્તાનની સમર્થનના સૂત્રોના ચિત્રિત કરવા સંબંધમાં સ્પેશયલ સેલ દ્વારા ધારા 153 અને 153 બી અને 120 બી આપીસી અનુસાર મામલો દાખલ કરી લીધો છે. વિકાસ પુરી, પશ્ચિમ વિહાર, પીરાગઢી અને પશ્ચિમી દિલ્હીના અન્ય વિસ્તારમાં દિવાલો પર આપત્તિજનક સૂત્રો લખવામાં આવ્યા હતા. સૂચનાના આધારે સ્પેશિયલ સેલે મામલો દાખલ કર્યો છે.
આ પહેલા પંજાબના બઠિંડામાં ખાલિસ્તાન સમર્થન સ્લોગન દિવારો પર લખવામાં આવ્યા હતા. જાણવા મળતા બઠિંડા પલીસે મામલાની તપાસ શરુ કરી દીધી હતી. થર્મલ પોલીસ સ્ટેશનના એસએચઓ હજોતસિંહએ મીડિયા સાથે જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, ખાલિસતાન સમર્થક સ્લોગન બંડિંડામાં રેલવે લાઇન પાસે ફ્લાઇઓવર નીચે દિવાર પર લખવામાં આવ્યો હતો.