સ્નૂપગેટની તપાસમાં યૂપીએમાં પડ્યા બે ફાટા
નવી દિલ્હી, 5 મે: એક મહિલા આર્કિટેક્ટની જાસૂસીમાં ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની કથિતપણે સંડોવણીવાળા કેસની તપાસના મામલે યુપીએમાં બે ફાટા પડી ગયા છે. કેન્દ્ર સરકારના સૌથી મોટા ઘટકદળ એનસીપી અને નેશનલ કોન્ફ્રેન્સે ચૂંટણી દરમિયાન કાનૂની તપાસ અંગે સવાલો ઉઠાવ્યા છે.
કોંગ્રેસે આ મામલામાં દસ સવાલોની સૂચિ બહાર પાડી મોદી, અમિત શાહ અને ભાજપ પાસે સ્પષ્ટતા માંગી છે. જોકે, કોંગ્રેસ પ્રવક્તા શોભા ઓઝાની પાસે આ સવાલનો કોઇ જવાબ ન્હોતો કે શું તપાસનો વિરોધ કરનારી રાકાંપા અને નોશનલ કોંફ્રેન્સ મહિલા વિરોધી છે. વિદેશમંત્રી સલમાન ખુર્શીદે તપાસના નિર્ણયને યોગ્ય ગણાવતા જણાવ્યું કે રાકાંપા અને નેકાંની આપત્તિઓ પર કેબિનેટમાં વિચાર કરવામાં આવશે.
આવો જોઇએ સ્નૂપગેટ મુદ્દે યૂપીએમાં કેવી રીતે પડ્યા ફાટા...

કોંગ્રેસનો જવાબ
કોંગ્રેસે સરકારે ઘટકદળોની નારાજગીને ગણકાર્યા વગર સ્પષ્ટ કરી દીધું છે કે ન્યાયિક તપાસના મુદ્દા પર આગળ વધાને લઇને કોઇ સમજૂતી કરવામાં નહીં આવે.

એનસીપીએ ઉઠાવ્યા સવાલો
એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે આની પર શરદ પવારે પોતાની પાર્ટીનું વલણ સ્પષ્ટ કરવા માટે વડાપ્રધાન સાથે પણ વાત કરી છે.
|
ઓમર પણ તપાસના વિરોધમાં
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ ટ્વિટ કરીને જણાવ્યું છે કે 'ગઇકાલે રાત્રે પિતા(ફારુખ) સાથે તપાસ પંચ પર વાતચીત થઇ, તેમણે જણાવ્યું કે આવું કરવું ખોટું છે.'
|
ઓમર અબ્દુલ્લાનું ટ્વિટ
ઓમર અબ્દુલ્લાનું ટ્વિટ....

અરૂણ જેટલી
રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ પહેલા જ જણાવ્યું હતું કે સરકારને હવે કોઇપણ રાજનૈતિક નિર્ણય લેવાનો અધિકાર નથી.

એમજે અકબર
ભાજપ પ્રવક્તા એમજે અકબરે જણાવ્યું કે કોંગ્રેસની બદલાની રાજનીતિમાં તેમના સહયોગી પણ સાથ આપવા માટે તૈયાર નથી. અમે તેમના આ વલણનું સ્વાગત કરીએ છીએ.

પ્રકાશ જાવડેકરે
ભાજપ પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે મોદીને ચૂંટણી મેદાનમાં માત આપવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસ હવે આ પ્રકારના નિર્ણયથી પાર્ટીને પરેશાન કરવાની કોશિશ કરી રહી છે. સાથીપક્ષોને વાંધો હોવા છતાં મોદી વિરુદ્ધના આ છેલ્લા વારને કોંગ્રેસ વેડફવા માગશે નહીં.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ










Click it and Unblock the Notifications
