રક્ષામંત્રીના 'પૂર્વ વડાપ્રધાન'વાળા નિવેદન પર ભડકી કોંગ્રેસ
નવી દિલ્હી, 23 જાન્યુઆરી: રક્ષામંત્રી મનોહર પર્રિકરે આરોપ લગાવ્યો છે કે કેટલાંક પૂર્વ વડાપ્રધાનોએ રાષ્ટ્રીય સુરક્ષા પર દેશની સંપદા (ડીપ એસેટ્સ)ને લઇને ઘણા કરાર કર્યા, જે ઘાતક હતા, જોકે તેમણે કોઇ પણ નેતાનું નામ લીધું નહીં.
પર્રિકરે જણાવ્યું કે તેમણે પાકિસ્તાનથી આવી રહેલી બોટ સંબંધિત કોસ્ટગાર્ડના અભિયાન અંગે વિવરણ ન્હોતું આપ્યું કારણ કે તેનાથી માહિતીના સ્રોતને લઇને સમજૂતી થઇ શકતી હતી.

પર્રિકરના આ નિવેદન પર કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ રક્ષા મંત્રી પાસે એ'કેટલાંક વડાપ્રધાનોના 'નામ જાહેર કરવાની માંગ કરી અને સાથે એ પણ જણાવવા કહ્યું કે તેમણે કઇ ઘાતક સમજૂતી કરી હતી.
Def Min says "some Ex PM's compromised "deep assets" on National Security. This is a very grave charge. He should name Ex PM's or apologize
— Manish Tewari (@ManishTewari) January 23, 2015 શંકાસ્પદ આતંકવાદીઓવાળી પાકિસ્તાની નૌકાદળની વિરુદ્ધ કોસ્ટગાર્ડના હાલના અભિયાનને લઇને પુરાવાની માંગને લઇને કોંગ્રેસ પર કટાક્ષ કરતા પર્રિકરે જણાવ્યું કે 'તેને લઇને પુરાવાની માંગ કરવામાં આવી કે આ પાકિસ્તાની આતંકી બોટ હતી. આવનારા દિવસોમાં આ પ્રકારના અભિયાનમાં અમે એક કેમેરામેન અને કોંગ્રેસના પ્રવક્તાને પણ સાથે લઇને ચાલીશું.'












Click it and Unblock the Notifications
