UPA-2નું રિપોર્ટ કાર્ડ: સરકારના ગુણગાન અને BJP પર હુમલો
નવી દિલ્હી, 23 મે : યૂપીએ-2 સરકારે બુધવારે ચાર વર્ષ પૂરા કરી લીધા છે. આ અવસરે પ્રધાનમંત્રીના ઘરે આયોજિત સમારંભમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી મનમોહન સિંહની સાથે મળીને સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું. આ અંદાજમાં મતભેદના સમાચારોને ખોટા સાબિત કરવાનો સંદેશ આપતા એ પણ સાબિત કરવાની કોશિશ કરી હતી કે પાર્ટી મનમોહન સિંહની સાથે ઉભી છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે ભ્રષ્ટાચારના મુદ્દે સરકારને બેકફૂટ પર આવવાની કોઇ જરૂરીયાત નથી. યુપીએ-2 સરકારની ચોથી વર્ષગાંઠના અવસરે પ્રધાનમંત્રી મનમોહનસિંહના વખાણ કરતા સોનિયા એ સ્પષ્ટ કરી દીધું કે પાર્ટી તેમની સાથે છે. પરંતુ બીજેપીએ સરકારને સંપૂર્ણ રીતે નિષ્ફળ ગણાવતા તેને ઉજવણી કરવાને બદલે ચિંતા કરવાની સલાહ આપી. જ્યારે બીજી બાજું, સમાજવાદી પાર્ટીએ રાત્રીભોજમાં હાજરી ના આપીને સરકાર સાથેની પોતાની દૂરી સ્પષ્ટ કરી દીધી છે.
સરકારના ગુણગાન અને BJP પર હુમલો
સરકારના ગુણગાન અને BJP પર હુમલો
સરકારના ગુણગાન અને BJP પર હુમલો
સરકારના ગુણગાન અને BJP પર હુમલો
સરકારના ગુણગાન અને BJP પર હુમલો
સરકારના ગુણગાન અને BJP પર હુમલો
સરકારના ગુણગાન અને BJP પર હુમલો
સરકારના ગુણગાન અને BJP પર હુમલો
સરકારના ગુણગાન અને BJP પર હુમલો
સરકારના ગુણગાન અને BJP પર હુમલો
રાત્રિભોજમાં પત્રકારો સાથે વાત કરતા સોનિયાએ જણાવ્યું કે મારા અને પ્રધાનમંત્રીની વચ્ચે કોઇ મતભેદ નથી, અને અમારું નેતૃત્વ સહિયારુ છે. આ અવસરે સોનિયા વિપક્ષ પર જોરદાર વરસ્યા. તેમણે સ્પષ્ટ કરી દીધું કે સંસદમાં હોબાળો કરી વિપક્ષે ખાદ્ય સુરક્ષા અને ભૂમિ અધિગ્રહણ જેવા લોકહીતના બિલ પાસ થવા દીધા નહીં. ભ્રષ્ટાચારના મુદ્દે પણ સોનિયા ફ્રંટફૂટ પર દેખાઇ.
આ અવસરે મનમોહન સિંહે 2014માં સરકાર ફરી સત્તા મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે ખાદ્ય સુરક્ષા બિલને સંસદમાં રજૂ કરવા અને ભૂમિ અધિગ્રહણ બિલ પર સહમતિ બનાવવાને સરકારની ઉપલબ્ધિયો તરીકે રજૂ કર્યો. આર્થિક મોર્ચા પર ટીકાઓનો સામનો કરી રહેલા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકારે વિકાસ દર એનડીએની સરકારની તુલનામાં સારો કર્યો છે.
રાહુલ ગાંધીએ પણ મનમોહન સિંહ અને સોનિયાની વચ્ચે મતભેદના સમાચારોને રદિયો આપ્યો. રાહુલે પાર્ટી માટે કામ કરવાની વાતો વાગોળતા કહ્યું કે 2014 સુધી મનમોહન સિંહ જ પ્રધાનમંત્રી રહેશે.