યુપીના મેરઠના રમખાણો માટે સપા સરકાર જવાબદાર
મેરઠ, 11 મે : ઉત્તરપ્રદેશમાં ભડકેલા રમખાણોને માટે રાજ્યની સમાજવાદી પાર્ટીની સરકારને જવાબદાર માનવામાં આવી રહી છે. કહેવામાં આવે છે કે આ રમખાણો માટે સપાએ જ હથિયારો પૂરા પાડ્યા હતા.
મેરઠમાં શનિવારે ફાટી નીકળેલા રમખાણો અને તેમાં માર્યા ગયેલા ત્રણ લોકો તથા અનેક ઘાયલો એ બાબત તરફ ઇશારો કરે છે કે સમાજવાદી પાર્ટી ઉત્તરપ્રદેશમાં ફાટી નીકળેલા રમખાણોને રોકી શકવામાં વિફળ ગઇ છે. ઘણા લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે મેરઠના રમખાણો સમાજવાદી પાર્ટી સરકારની જ દેન છે. આ રમખાણોમાં લોકોને મારવા માટે એકે 47 રાઇફલનો ઉપયોગ થયો હતો.

લોકસભા ચૂંટણી 2014નો અંતિમ તબક્કો 12 મેના રોજ યોજાવાનો છે ત્યારે રાજ્યમાં હજી આચારસંહિતા અમલમાં છે. સામાન્ય બાબત છે કે આચારસંહિતા લાગુ કરતા પહેલા જિલ્લા વહીવટી તંત્રની જવાબદારી હોય છે કે પ્રદેશમાં જેટલા પણ લાયસન્સ છે તેમને જપ્ત કરી લેવામાં આવે.
યુપી સરકાર આ સલામતીના પગલાં ભરવામાં ચૂક ખાઇ ગઇ છે જેના કારણે ચૂંટણી બાકી હોવા છતાં લોકોના હાથમાં બંદૂકો જોવા મળી રહી છે. મહત્વની બાબત એ છે કે રમખાણોમાં માર્યા ગયેલા અને ઘાયલોને હોસ્પિટલ લઇ જવા માટે એમ્બયુલન્સ અને ફાયર બ્રિગેટની કોઇ ગાડી પહોંચી ન હતી.
મેરઠમાં હિંસા ભડકી એ પહેલા શહેરમાંથી હથિયારો અને કારતૂસનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ હથિયારો ક્યાંથી આવ્યા એ પણ એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ છે કે હથિયારો તો આવી ગયા પણ ત્યાર પછી તેને કબ્જે શા માટે કરવામાં આવ્યા નહીં. આ રમખાણોમાં પેટ્રોલ બોમ્બ જેવા હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. કહેવાય છે કે આ માટે પહેલાથી જ ઘરોમાં હથિયારો છુપાવી રાખવામાં આવ્યા હતા.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
