સવારે ભાજપમાં શ્રીરામ સાંજ થતાં કરી દીધા ‘રામ-રામ’
નવી દિલ્હી, 24 માર્ચઃ હિન્દુવાદી સંગઠન શ્રીરામ સેનાના વિવાદિત પ્રમુખ પ્રમોદ મુતાલિક ભાજપમાં સામેલ થયા બાદ પક્ષની ચારેકોર ટીકા થવા લાગી, જેને લઇને ભાજપે ગણતરીના કલાકોમાં જ આ વિવાદિત પ્રમુખથી દૂરી બનાવી લીધી છે.

મુતાલિકને પક્ષના સભ્ય બનાવવાના નિર્ણયને લઇને ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકર ઘણા નારાજ હતા. તેમણે આ અંગે પક્ષ અધ્યક્ષ રાજનાથ સિંહ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રો અનુસાર ત્યારબાદ નિતીન ગડકરી, અરૂણ જેટલી અને રાજનાથ સિંહ વચ્ચે આ અંગે ફોન પર ચર્ચા થઇ.
પાર્ટીમાં વધતી નારાજગીને જોઇને રાજનાથ સિંહે આ મુદ્દે કર્ણાટકના પ્રદેશ પ્રભારી સાથે વાત કરી અને બાદમાં મુતાલિકનું સભ્ય પદ ખારિજ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. નોંધનીય છે કે, આ પહેલા પ્રમોદ મુતાલિકને રવિવારે સવારે ભાજપના રાજ્ય એકમના પ્રમુખ પ્રહ્વાદ જોશી, પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર અને પૂર્વ ઉપમુખ્યમંત્રી કેએસ ઇશ્વરપ્પા સહિત તમામ દિગ્ગજ નેતાઓની હાજરીમાં પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
