CM ભગવંત માનની કોશિશોનુ સફળ પરિણામ, ગયા વર્ષની તુલનામાં પરાલી બાળવાના કિસ્સામાં આવ્યો 30%નો ઘટાડો

મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારના પ્રયાસોને કારણે ગત વર્ષની સરખામણીમાં પરાલી બાળવાના કેસમાં લગભગ 30% ઘટાડો થયો છે.

ચંદીગઢઃ મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારના પ્રયાસોને કારણે ગત વર્ષની સરખામણીમાં પરાલી બાળવાના કેસમાં લગભગ 30% ઘટાડો થયો છે. પંજાબના મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆએ કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, PEDAના અધિકારીઓ અને ડેપ્યુટી કમિશનર સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરીને ખેડુતોને વધુને વધુ પ્રોત્સાહિત કરવા અને પરાલી ન બાળવા સૂચના આપી હતી. તેમણે ડેપ્યુટી કમિશનરોને પણ જણાવ્યુ હતુ કે તેઓ એવા ખેડૂતોનુ સન્માન કરે જેમણે પરાલી બાળવાનુ બંધ કરવાના આ ઉમદા હેતુમાં યોગદાન આપ્યુ છે.

bhagwant mann

બેઠક દરમિયાન ડેપ્યુટી કમિશનરોએ જણાવ્યુ કે, સેટેલાઇટ તંત્ર દ્વારા આગની દરેક ઘટના દર્શાવવામાં આવે છે, જ્યારે વાસ્તવિકતામાં આ વખતે રાજ્યમાં મોટા પાયે પર પરાલીની બેલિંગ કરવામાં આવી છે અને જે જગ્યાએ બેલિંગ પછી તટબંધોની નજીક આગ લગાવવામાં આવી તેનો પણ સેટેલાઇટ સિસ્ટમે આગનો સંપૂર્ણ ડેટા રજૂ કર્યો છે. બેઠક દરમિયાન મુખ્ય સચિવે કૃષિ વિભાગને સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી કે સબસિડી પર આપવામાં આવતા મશીનોના નાણાં 30 નવેમ્બર સુધીમાં લોકોના ખાતામાં મોકલવામાં આવે. આ સાથે મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆએ કૃષિ વિભાગને સૂચનો જાહેર કર્યા છે કે તેઓ પરાલીની સંભાળ માટે બ્લૉક સ્તરે જરૂરિયાત મુજબ મશીનોની પ્રકાર સંબંધિત સંપૂર્ણ ડેટા તૈયાર કરીને મોકલે. આ સાથે તેમણે એ પણ કહ્યુ કે પંચાયતો અને સહકારી મંડળીઓને પરાલી સંભાળવા માટે સબસીડી પર વધુને વધુ મશીનો પૂરા પાડવામાં આવે.

પરાલી સંભાળતા મશીનો ચલાવવા માટે વધુ હોર્સપાવરના ટ્રેક્ટરની જરૂર પડે તેવા ડેપ્યુટી કમિશનરો દ્વારા આપવામાં આવેલા સૂચનો, જેના આધારે બેંકો લોન આપતી નથી, સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના જાહેર કરવામાં આવી છે. બેઠકમાં એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે ઉદ્યોગો દ્વારા પરાલીના ઉપયોગ માટે રાજ્ય સરકાર અને ખેડૂતોને મદદ કરવામાં આવી રહી છે, તેથી સબસિડી પર ઉદ્યોગોને બેલર આપવા માટે આ મુદ્દો કેન્દ્ર સમક્ષ ઉઠાવવામાં આવશે.

આ અવસરે કડક સૂચના આપતા મુખ્ય સચિવે જણાવ્યુ હતુ કે જે કંપનીઓએ ખેડૂતોના યંત્રો કે જે પરાલીની સંભાળ વખતે ખરાબ થઈ ગયા હતા તેનુ સમારકામ ન કર્યુ હોય તે ફર્મો સામે પગલાં લેવામાં આવે. આ બેઠક દરમિયાન ભઠ્ઠામાં ઉપયોગ માટે એકત્ર કરાયેલા પરાલી સંભાળવા માટે તાત્કાલિક પ્રયાસો કરવા સંદર્ભે નાયબ કમિશનરોને નિર્દેશો જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 1 મે 2023થી ભઠ્ઠામાં પરાલીનો ઉપયોગ શરૂ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X