
મરાઠા આરક્ષણઃ આરક્ષણ સીમા 50 ટકાથી આગળ વધારવા સુપ્રીમ કોર્ટની નોટિસ
મરાઠા આરક્ષણ મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે તમામ રાજ્ય સરકારોને નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને પૂછ્યું કે શું આરક્ષણ સીમા 50 ટકાથી વધારી શકાય છે. અદાલતે તમામ રાજ્યોને પોતાનો પક્ષ આપવા માટે કહ્યું છે. આની સાથે જ કોર્ટે આ મામલાની સુનાવણી માટે 15 માર્ચ તારીખ ફાઈનલ કરી છે. આરક્ષણની સીમા વધારવી કે નહિ તેના પર 15 માર્ચે ફેસલો લેવામાં આવશે.
Women's Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગૂગલે બનાવ્યુ ખાસ એનિમેટેડ ડૂડલ, બતાવી નારી શક્તિની ઝલક
પાછલા વર્ષે 9 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહારાષ્ટ્રના 2018ના કાયદાથી જોડાયેલા મુદ્દાઓ પર તરત સુનાવણીની જરૂરત છે કેમ કે કાનૂન સ્થગિત છે અને લોકો સુધી તેનો ફાયદો નથી પહોંચી રહ્યો. જણાવી દઈએ કે નોકરીઓ અને દાખલામાં મરાઠા સમુદાયના લોકોને આરક્ષણ પ્રદાન કરવા માટે સામાજિક અને શૈક્ષણિક રૂપે પછાત વર્ગ (SEBC) કાયદો, 2018 લાગૂ કરવામાં આવ્યો હતો.
સોમવારે આ મામલાની સુનાવણી દરમ્યાન સીનિયર વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે આ મામલે અનુચ્છેદ 342એની વ્યાખ્યા પણ સામેલ છે. એવામાં આ તમામ રાજ્યોને પ્રભાવિત કરી શકે છે. માટે એક અરજી દાખલ થઈ છે. જેમાં તમામ રાજ્યોએ કોર્ટને સાંભળવી જોઈએ. મુકુલ રોહતગીએ કહ્યું કે તમામ રાજ્યોને સાંભળ્યા વિના આ મામલામા ફેસલો ના આપી શકાય.
જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી પાંચ ન્યાયાધીશોની સંવિધાન પીઠ આ મામલે સુનાવણી કરી રહી છે. આ પીઠમાં જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ એસ અબ્દુલ નજીર, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ રવીંદ્ર ભટ પણ છે. અગાઉની સુનાવણીમાં પીઠે કહ્યું હતું કે પીઠે કહ્યું કે તેઓ આ મુદ્દે દલીલો સાંભળશે કે ઈન્દિરા સાહની મામલામાં ઐતિહાસિક ફેસલો જેને 'મંડલ ફેસલા'ના નામે ઓળખવામાં આવે છે તેના પર પુનઃ વિચાર કરવાની જરૂરત છે કે કે નહિ.