For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા ફેસલોઃ સુપ્રીમ કોર્ટે તમામ 18 પુનર્વિચાર અરજી ફગાવી

અયોધ્યા ફેસલોઃ સુપ્રીમ કોર્ટે તમામ 18 પુનર્વિચાર અરજી ફગાવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અયોધ્યા રામ જન્મભૂમિ ફેસલા પર દાખલ રિવ્યૂ ટિપિટશન પર આજે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તમામ 18 પુનર્વિચાર અરજીઓ ફગાવી દીધી છે. જણાવી દઈએ કે સપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા વિવાદ પર આપવામાં આવેલ ફેસલાથી મુસ્લિમ પક્ષ સંતુષ્ટ હતો જે બાદ તેમણે પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. જ્યારે નિર્મોહી અખાડાએ પણ ઉચ્ચતમ ન્યાયાલયના ફેસલા પર રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી જો કે આ અરજી રામ જન્મભૂમિ પર નહિ બલકે શૈબિયત રાઈટ્સ, કબ્જો અને લિમિટેશન પર આપવામાં આવેલ ફેસલા પર દાખલ કરવામાં આવી હતી.

supreme court

ઉલ્લેખનીય છે કે પાછલા મહિને 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમિ પર ઐતિહાસિક ફેસલો સંભળાવતા વિવાદિત જમીનને રામ લલ્લાના હવાલે કરી દેવામાં આવ્યો હતો. જ્યારે કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં જ ક્યાં બીજી જગ્યાએ પાંચ એકર જમીન આપવાનો કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. ઉચ્ચતમ ન્યાયાલયના આ ફેસલાથી મુસ્લિમ પક્ષ પણ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું, એક સમૂહ ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરવાની વિરુદ્ધ હતુ, તો બીજા સમૂહના ફેસલાથી મુસ્લિમ પક્ષ પણ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું, એક સમૂહ ફેસલાની વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરવાની વિરુદ્ધ હતું, તો બીજું સમૂહ ફેસલાથી અસંતુષ્ટ હતું. જે બાદ ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને જમીયત ઉલેમા-એ-હિંદે પુનર્વિચાર અરજી દાખળ કરી. જણાવી દઈએ કે મુસ્લિમ પક્ષ તરફથી મૌલાના સૈયદ અશહદ રશીદી અને એમ સિદ્દીકના વારિસે રિવ્યૂ ટિપિટશન દાખલ કરી હતી.

આસામ સરકારે લીધો મહત્વનો નિર્ણય, બે થી વધારે બાળકો હશે તો નહી મળે સરકારી નોકરીઆસામ સરકારે લીધો મહત્વનો નિર્ણય, બે થી વધારે બાળકો હશે તો નહી મળે સરકારી નોકરી

English summary
supreme court dismisses all review petition in ayodhya judgement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X