મહાત્મા ગાંધીની હત્યાની ઉજવણી કરનાર આજે સત્તામાં છે: સ્વરા ભાસ્કર
અભિનેત્રી સ્વરા ભાસ્કર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધીની હત્યાની ઉજવણી કરનાર આજે સત્તામાં છે.
અભિનેત્રી સ્વરા ભાસ્કર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધીની હત્યાની ઉજવણી કરનાર આજે સત્તામાં છે. દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન સ્વરાએ કહ્યું કે ખાલિસ્તાનની માંગ જયારે ચાલી રહી હતી ત્યારે પંજાબમાં ભીંડરાવાલાને કેટલાક લોકો સંત કહેતા હતા, તો શુ તેમને જેલમાં નાખી દેશે? આ દેશના મહાન નેતા મહાત્મા ગાંધીની હત્યા થયી. ત્યારે ઘણા લોકો ગાંધીની હત્યાની ઉજવણી કરી રહ્યા હતા, તે લોકો આજે સત્તામાં છે. શુ તમે જેલમાં નાખશો તેનો જવાબ નથી.
અભિનેત્રી સ્વરા ભાસ્કર સતત અલગ અલગ મામલે પોતાનો પક્ષ રાખે છે. સોશ્યિલ મીડિયા પર પણ તે ખુબ જ લોકપ્રિય છે. તેમને દક્ષિણપંથી વિચારધારાના આલોચક માનવામાં આવે છે. હાલમાં જ વામપંથી વિચારકોની ધરપકડ અંગે તેમને સખત વિરોધ કર્યો હતો. આ ધરપકડની નિંદા કરતા અભિનેત્રી સ્વરા ભાસ્કર ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જેલ ફકત લેખકો, માનવાધિકાર કાર્યકર્તાઓ અને શિક્ષાવિદો અને બાળકોનો જીવ બચાવનાર ડોક્ટરો માટે છે.
#WATCH: Actor Swara Bhaskar in an interaction with media in Delhi says, 'Is desh mein Mahatma Gandhi jaise mahaan insaan ki hatya hui, us waqt bhi kuch aise log the jo celebrate kar rahe the unki hatya ko, aaj wo satta mein hain, un sabko daal dena chahiye jail mein?' pic.twitter.com/06tSMpo0d1
— ANI (@ANI) September 1, 2018