તેલંગાણા વિવાદ : કોંગ્રેસે કરી શાંતિ જાળવવાની અપીલ
હૈદરાબાદ, 9 ઓક્ટોબર : આંધ્ર પ્રદેશનું વિભાજન કરી અલગ તેલંગાણા રાજ્યની રચના કરવાના કેન્દ્રના નિર્ણય સામે સીમાંધ્રમાં વિરોધ ઉગ્ર બની રહ્યો છે ત્યારે શાસક કોંગ્રેસ પાર્ટીએ આ વિસ્તારના લોકોને અપીલ કરી છે કે તેઓ એમનું આંદોલન પડતું મૂકે જેથી કોઈક એવો ઉકેલ લાવી શકાય જેનાથી બંને પક્ષ (સીમાંધ્ર તથા તેલંગાણા)ને લાભ મળી શકે.
કોંગ્રેસ પાર્ટીએ સીમાંધ્રના દેખાવકારોને તેમનું આંદોલન પડતું મૂકી તંદુરસ્ત વાટાઘાટ કરવાની અપીલ કરી છે. આ અપીલ પાર્ટીના મહામંત્રી દિગ્વિજય સિંહે એક નિવેદન દ્વારા કરી છે, જે આંધ્ર પ્રદેશમાં પાર્ટીનો ચાર્જ સંભાળે છે.

આ સાથે કોંગ્રેસે સીમાંધ્રના લોકોને એવી ખાતરી પણ આપી છે કે તેઓ તેમના નિર્ણય પર અડગ રહેશે. આ અંગેની અપીલમાં કહેવામાં આવ્યું હતું કે સીમાંધ્રના લોકોની સુરક્ષા માટે તેઓ કટિબદ્ધ છે. તેલંગાણાના લોકોને પણ હૈદરાબાદમાં રોજગાર અને શિક્ષણની સુવિધા મળે તે માટે કામ કરવામાં આવશે.
તેલંગાણા મુદ્દે શાંતિ જાળવવાની અપીલ કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેએ સોમવારે રાત્રે કરી હતી. સીમાંધ્ર મતવિસ્તારોમાંથી લોકસભામાં ચૂંટાઈ આવેલા પાંચ કેન્દ્રીય પ્રધાનો અલગ તેલંગાણાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં રાજીનામું આપી ચૂક્યા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
