જમ્મુ-કાશ્મીરમાં આતંક પીડિતોને મળશે MBBS-BDSમાં અનામત
ગૃહ મંત્રાલય દ્વારા મંગળવારના રોજ જમ્મુ-કાશ્મીરમાં આતંક પીડિતોને રાહત આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આતંક પીડિતોને MBBS-BDSમાં અનામત આપવામાં આવી છે. વર્તમાન શૈક્ષણિક વર્ષથી આ કોટા લાગુ કરવામાં આવશે.
ગૃહ મંત્રાલય દ્વારા મંગળવારના રોજ જમ્મુ-કાશ્મીરમાં આતંક પીડિતોને રાહત આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આતંક પીડિતોને MBBS-BDSમાં અનામત આપવામાં આવી છે. વર્તમાન શૈક્ષણિક વર્ષથી આ કોટા લાગુ કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2022-23 માટે ગૃહ વિભાગ દ્વારા અનામતની સીટો ફાળવવામાં આવશે.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની આગેવાની હેઠળની જમ્મુ અને કાશ્મીર સરકારે પણ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનને મંજૂરી આપી દીધી છે. એમએચએની સત્તાવાર સૂચના મુજબ, એવા બાળકોને પ્રાધાન્ય આપવામાં આવશે, જેમના માતાપિતા બંને આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા છે. એવા પરિવારો કે, જેમના એકમાત્ર કમાનારો વ્યક્તિ આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા છે. પીડિતોના બાળકો આતંકવાદી કાર્યવાહીને કારણે અક્ષમ થઈ ગયા છે અથવા ગંભીર ઈજાઓ થઈ છે. આ તમામ પીડિતોને MBBS અને BDSમાં અનામત ક્વોટા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ક્વોટા મેળવવા માટે જરૂરી પર્સેન્ટાઈલનો પણ સૂચનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉમેદવારે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અથવા બાયો-ટેક્નોલોજી જેવા વિષયોમાં વ્યક્તિગત રીતે ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ પાસ કર્યા હોવા જોઈએ અને મેળવેલા હોવા જોઈએ. SC, ST, OSC, OBC અને PWD માટે 40 ટકા અને સામાન્ય શ્રેણીમાં આવતા PWD માટે 45 ટકા હોવા જોઇએ.
આ રીતે મળશે અનામતનો લાભ
નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2022માં મેળવેલા રેન્કના આધારે MBBS અને BDS કોર્સમાં પ્રવેશ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. NEET 2022 માં લઘુત્તમ માર્ક્સ ઉમેદવારો માટે 50 ટકા, વિકલાંગ વિદ્યાર્થીઓ માટે 45 ટકા અને SC, ST, OBC માટે 40 ટકા હશે.