તમારા સીએમનો આભાર, હું જીવતો પાછો આવ્યો- ભટીંડા એરપોર્ટ પર પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પંજાબ પહોંચ્યા હતા, જ્યાં તેમના કાફલાને પ્રદર્શનકારીઓએ રોક્યો હતો. જે બાદ તે પરત ફર્યા હતો. પીએમ મોદી ભટિંડા એરપોર્ટથી રવાના થયા હતા અને ત્યાંથી પરત ફર્યા હતા.
નવી દિલ્હી, 5 જાન્યુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પંજાબ પહોંચ્યા હતા, જ્યાં તેમના કાફલાને પ્રદર્શનકારીઓએ રોક્યો હતો. જે બાદ તે પરત ફર્યા હતો. પીએમ મોદી ભટિંડા એરપોર્ટથી રવાના થયા હતા અને ત્યાંથી પરત ફર્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈએ દાવો કર્યો છે કે જ્યારે પીએમ પરત ફર્યા ત્યારે તેમણે ગુસ્સાના સ્વરમાં પંજાબના અધિકારીઓને કહ્યું કે હું જીવિત છું, આ માટે તમારા સીએમનો આભાર.
ANI અનુસાર, એરપોર્ટ પર પાછા ફરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંના અધિકારીઓને કહ્યું કે તેઓ તેમના CMનો આભાર માને. હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યો. ANIનું કહેવું છે કે એરપોર્ટના અધિકારીઓએ તેમને આ વાત કહી છે.
પીએમ નરેન્દ્ર મોદી બુધવારે સવારે હવાઈ માર્ગે ભટિંડા પહોંચ્યા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. બાદમાં વરસાદ અને નબળી વિજિબિલીટીના કારણે રોડ દ્વારા જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે વડા પ્રધાન રોડ માર્ગે હુસૈનીવાલા ખાતેના રાષ્ટ્રીય શહીદ સ્મારક જવા માટે રવાના થયા ત્યારે તેમના કાફલાને ફ્લાયઓવર પર વિરોધીઓએ રોડ બ્લોક કરીને અટકાવ્યો હતો. વડાપ્રધાન 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. આ પછી પીએમ મોદીના કાફલાને ભટિંડા એરપોર્ટ પરત ફરવું પડ્યું હતું. જે બાદ તેઓ દિલ્હી પરત ફર્યા હતા. એરપોર્ટ પર પાછા ફરતા તેમણે પંજાબના અધિકારીઓને કહ્યું કે તમારા સીએમનો મારો આભાર કહેજો.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને અટકાવી રહેલા દેખાવકારોની નોંધ લીધી છે. આને પીએમની સુરક્ષામાં ક્ષતિ અને બેદરકારી ગણીને ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી આ અંગે રિપોર્ટ માંગ્યો છે. ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને લઈને પંજાબ પોલીસ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા પર નારાજગી વ્યક્ત કરી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. વડાપ્રધાનની સુરક્ષામાં આ એક મોટી ખામી હતી.