અમરનાથ હુમલામાં 2 ગુજરાતીઓની મોત, નંબર પ્લેટ પણ ગુજરાતની
અમરનાથ યાત્રામાં 2 ગુજરાતી યાત્રાળુઓના મોત. જે બસ પર હુમલો થયો તે પણ ગુજરાતની નંબર પ્લેટવાળી હતી. ત્યારે જાણો આ અંગે વિગતવાર અહીં.
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં જે અમરનાથા યાત્રાની બસ પર આંતકી હુમલો કરવામાં આવ્યો છે. તે ગુજરાતની નંબર પ્લેટ ધરાવે છે અને તેનું રજિસ્ટ્રેશન પણ ગુજરાતનું છે. જો કે પોલીસનું કહેવું છે કે આ બસ સેના અને આતંકીના હુમલાની અચાનક વચ્ચે આવી જતા આ અકસ્માત સર્જાયો છે. વધુમાં તેમ પણ જાણવા મળ્યું છે કે આ હુમલામાં જે 7 લોકોની મોત થઇ છે તેમાંથી 2 લોકો ગુજરાતના છે.
જે બસ પર આતંકી હુમલો થયો છે તેનું નંબર પ્લેટ છે GJ09 Z9976 છે. જો કે 8 વાગ્યાની આસપાસ થયેલા આ હુમલા પછી સુરક્ષાકર્મીઓએ તપાસના આદેશ આપ્યા છે. અને ઇજાગ્રસ્તોને પાસેથી આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેવી જાણકારી મળી છે. જો કે આ હુમલા પછી બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓ સમેત અનેક રાજનેતાઓ અને સામાન્ય જનતાએ આ હુમલોને વખોડી મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે.
J&K: Security increased at Jammu base camp following terror attack on #AmarnathYatra pilgrims in Anantnag, checks being conducted pic.twitter.com/YqysnMbczB
— ANI (@ANI_news) July 10, 2017