કેપ્ટન બુધવારે મીડિયાને સંબોધશે, નવી પાર્ટીની જાહેરાત કરી શકે!
કોંગ્રેસમાં અપમાન અનુભવી રહેલા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ બુધવારે મોટી જાહેરાત કરી શકે છે. મળતી માહિતી મુજબ, કેપ્ટન અમરિંદર સિંહ બુધવારે ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.
ચંદીગઢ, 26 ઓક્ટોબર : કોંગ્રેસમાં અપમાન અનુભવી રહેલા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ બુધવારે મોટી જાહેરાત કરી શકે છે. મળતી માહિતી મુજબ, કેપ્ટન અમરિંદર સિંહ બુધવારે ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં તે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે અને પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. જો કે, આવતીકાલે કેપ્ટન કયા વિષય પર પ્રેસ કોન્ફરન્સ કરશે તે અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. કેપ્ટનના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે કહ્યું છે કે તે આવતીકાલે મીડિયા સાથે વાત કરશે.

એક ટ્વિટમાં રવિન ઠુકરાલે જણાવ્યું હતું કે, પંજાબના ભૂતપૂર્વ સીએમ @capt_amarinder આવતીકાલે (બુધવાર, 27 ઓક્ટોબર) સવારે 11 વાગ્યે ચંદીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે. આ કાર્યક્રમ તેમના ફેસબુક પેજ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ રાજનીતિક ગલિયારામાં કેપ્ટન વિશે એ જ વાત ચર્ચામાં છે કે તે કોંગ્રેસ છોડીને પોતાની નવી પાર્ટી બનાવી શકે છે.
તમને જણાવી દઈએ કે કેપ્ટન અમરિન્દર સિંહ પહેલા જ સંકેત આપી ચૂક્યા છે કે તે નવી રાજકીય પાર્ટી બનાવશે. આ સાથે વિધાનસભા ચૂંટણી અને તેના પછી પણ ભાજપના સાથી બની શકે છે. જો કે, કેપ્ટને ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણની વાત પણ કરી હતી. કેપ્ટને કહ્યું હતું કે તેઓ 2022ની પંજાબ ચૂંટણી માટે તે માત્ર અકાલી દળ જેવા સમાન વિચારધારાવાળા પક્ષો જ નહીં પરંતુ કોંગ્રેસને પણ સમર્થન આપી શકે છે, ફક્ત એ જ પક્ષો જે તેમની વિચારધારાનું સન્માન કરે.
કેપ્ટન અમરિંદર સિંહે ગયા મહિને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમનો નવજોત સિંહ સિદ્ધુ સાથે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. સિદ્ધુ પાર્ટીમાં પોતાનું કદ વધારવા માંગતા હતા, જે કેપ્ટનને સ્વીકાર્ય ન હતું. આ સ્થિતિમાં કેપ્ટને સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેપ્ટનના રાજીનામા બાદ ચન્નીને રાજ્યના સીએમ બનાવવામાં આવ્યા હતા, જ્યારે સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે બાદ સિદ્ધુનો ચન્ની સાથે પણ વિવાદ થયો હતો, જે બાદ તેમણે પ્રદેશ અધ્યક્ષ પદ પરથી પણ રાજીનામું આપી દીધું હતું. જો કે, કોંગ્રેસ હાઈકમાન્ડે આ રાજીનામું સ્વીકાર્યું ન હતું. હાલ સિદ્ધુ પ્રદેશ અધ્યક્ષ છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
