For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકારે કર્યા પંજાબ સરકારના વખાણ, આમ આદમી ક્લિનિકના કામથી સંતુષ્ટ

કેન્દ્ર સરકારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ કરી રહેલી આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા લોકોને પ્રમાણભૂત આરોગ્ય સુવિધાઓ પ્રદાન કરવા માટે વખાણ કર્યા છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : કેન્દ્ર સરકારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ કરી રહેલી આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા લોકોને પ્રમાણભૂત આરોગ્ય સુવિધાઓ પ્રદાન કરવા માટે વખાણ કર્યા છે. ભારત સરકાર નિયમિતપણે અલગ-અલગ રીતો દ્વારા રાજ્યોમાં એનએચએમ વિકાસ પર નઝર રાખવામાં આવે છે.

Central Government

સૌથી મહત્વની રીત છે કોમન રિવિઉ મિશન (CRM) જે દર વર્ષો કરવામાં આવે છે. CRM અંતર્ગત સરકારી અધિકારીઓ, જન સ્વાસ્થ્ય નિષ્ણાતો, વિકાર ભાગીદારોના પ્રતિનિધીઓ અને સિવિલ સોસાયટી ઇન્સ્ટીટ્યુટની એક ટીમ અલગ અલગ રાજ્યોમાં વિઝિટ કરે છે.

CRM નો ઉદ્દેશ્ય લોકોના પરિપ્રેક્ષ્યમાં કાર્યક્રમોના અમલીકરણનું મૂલ્યાંકન કરવાનો હોય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આયુષના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉ. એ રઘુના નેતૃત્વમાં 16 સભ્યની 15મી કોમન રિવ્યુ મિશન ટીમ દ્વારા 4 થી 11 નવેમ્બર દરમિયાન રાજ્યની મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેમણે ફિરોઝપુર અને રૂપનગર જિલ્લાની મુલાકાત લીધી હતી.

રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલો પર સંપૂર્ણ સંતોષ વ્યક્ત કરતાં ટીમે રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે. પંજાબ રાજ્યમાં વધુને વધુ પ્રસૂતિ હોસ્પિટલમાં થઈ રહી છે અને તમામ આરોગ્ય સુવિધાઓમાં સગર્ભા સ્ત્રીઓને પ્રમાણભૂત આહાર પૂરો પાડવામાં આવી રહ્યો છે અને મોટાભાગની મહિલાઓ DBT દ્વારા GSY ચૂકવવામાં આવ્યું છે.

તેવી જ રીતે મોટાભાગની આરોગ્ય સંસ્થાઓમાં પણ કુટુંબ નિયોજન સંબંધિત સુવિધાઓ ઉપલબ્ધ છે. જિલ્લા હોસ્પિટલ્સમાં ફેમીલી પાર્ટીસિપેટરી કેર (કુટુંબ સહભાગી સંભાળ)ની પ્રેક્ટિસ કરવામાં આવે છે. જિલ્લા હોસ્પિટલોમાં બ્રેસ્ટ ફીડીંગ કોર્નર ઉભા કરવામાં આવ્યા છે. આરબીએસકે સ્ક્રીનીંગ AWCમાં કરવામાં આવે છે અને સરકારી અને સરકારી સહાયિત શાળાઓ અને બાળકોને મફત સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

આઉટરીચ કેમ્પ્સ (મમતા દિવસ) અને SCHWC દ્વારા રસીકરણ સેવાઓ પણ જોવા મળી હતી. તમામ આરોગ્ય સુવિધાઓ પર ઉપલબ્ધ આશા કાર્યકરો દ્વારા માતાઓ અને બાળકોને રસીકરણ માટે સત્રના સ્થળો પર લઈ જવામાં આવે છે. મોટાભાગની માતાઓ રસીકરણ સેવાઓથી વાકેફ છે. ઉમંગ ક્લિનિક રાજ્યમાં કાર્યરત છે અને SCHWC અને AWC સેનેટરી નેપકીન આપવામાં આવે છે.

CRM એ પણ નોંધ્યું છે કે, રાજ્યએ CHOs સાથે HWC ને કાર્યરત કરવાના લક્ષ્યાંકને પૂરો કર્યો છે. MBBS ડૉક્ટર્સ અને પેરા-મેડિકલ સ્ટાફની ટીમ સાથે ક્લિનિક સરળતાથી ચલાવવામાં આવે છે. પેપરલેસ સિસ્ટમ દર્દીના ડેટાના રિપોર્ટિંગ અને રેકોર્ડિંગ માટે ઉપલબ્ધ છે. આમ આદમી ક્લિનિક્સમાં વિવિધ લેબ ટેસ્ટ અને દવાઓ મફતમાં ઉપલબ્ધ છે. માસ અવેરનેસ સાથે 108 એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

MMU ઝૂંપડપટ્ટી, દૂરના વિસ્તારો અને સંવેદનશીલ વિસ્તારોમાં પહોંચવા માટે કાર્યરત છે. વિવિધ હેલ્થ આઈટી પોર્ટલ/એપ્સનું યોગ્ય જ્ઞાન અને પ્રેક્ટિસ SHC સ્તર સુધી ઉપલબ્ધ છે. આ દરમિયાન ટીમના સભ્યોને આરોગ્ય સચિવ પંજાબ અજો શર્મા અને મિશન ડિરેક્ટર, નેશનલ હેલ્થ મિશન, પંજાબ ડૉ. અભિનવ ત્રિખા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડાયરેક્ટર હેલ્થ સર્વિસીસ ડૉ. રણજીત સિંહ ઘોટડા, ડાયરેક્ટર ફેમિલી વેલફેર ડૉ. રવિન્દરપાલ કૌર, ડાયરેક્ટર નેશનલ હેલ્થ મિશન પંજાબ ડૉ. સતીન્દરપાલ સિંહ અને આરોગ્ય વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને પ્રોગ્રામ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

English summary
The central government praised the Punjab government, satisfied with the work of the Aam Aadmi Clinic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X