રાહુલ ગાંધીને કોર્ટે કાઢી ઝાટકણી, કહ્યું - તમારી પાસે આવી આશા ન હતી
સુરત : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટક મામલે આજે સુરતની સેશન્સ કોર્ટથી ઝટકો લાગ્યો છે. માનહાનિ મામલે 2 વર્ષેની સજા સામે રાહુલ ગાંધીએ રોક લગાવવાની માંગ કરી હતી. જે કોર્ટે રદ્દ કરી છે.
આ સાથે કોર્ટે જણાવ્યું હતું કે, તમારે સમજી વિચારીને બોલવું જોઇએ, કારણે તે સાંસદ હતો, અને દેશની બીજી સૌથી રાજનૈતિક પાર્ટીના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
એડિશનલ સેશન્સ જજ આરપી મોગેરાની અદાલતે, 2019ના માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે માંગતી વખતે, અવલોકન કર્યું કે અપીલ કરનાર જેવી વ્યક્તિ પાસેથી "ઉચ્ચ નૈતિકતાના ધોરણ"ની અપેક્ષા રાખવામાં આવે છે અને આવા નિવેદનોની અપેક્ષા રાખવામાં આવતી નથી. કોર્ટે જણાવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા કાયદાકીય રીતે યોગ્ય છે.
એડિશનલ સેશન્સ જજ આર. પી. મોગેરાની કોર્ટે તેના આદેશમાં અવલોકન કર્યું હતું કે, અપીલકર્તા દ્વારા ઉચ્ચારવામાં આવેલ કોઈપણ અપમાનજનક શબ્દો પીડિત વ્યક્તિને માનસિક વેદના પહોંચાડવા માટે પૂરતા છે.
કોર્ટે જણાવ્યું હતું કે, અપમાનજનક શબ્દો ઉચ્ચારવા અને 'મોદી' અટક ધરાવતા વ્યક્તિઓની ચોર સાથે સરખામણી કરવાથી ચોક્કસપણે માનસિક વેદના થશે અને ફરિયાદી પૂર્ણેશ મોદીની પ્રતિષ્ઠાને નુકસાન થશે.
સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે ફોજદારી માનહાનિનીફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, કે 13 એપ્રિલ, 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમિયાન રાહુલે જણાવ્યું હતું કે, તમામ ચોરોની અટક મોદી કેવી રીતે આવે છે?
કોર્ટે અવલોકન કર્યું કે, રાહુલ ગાંધી બીજા સૌથી મોટા રાજકીય પક્ષના અધ્યક્ષ રહ્યા છે અને અપીલકર્તાના કદને જોતા, તેમણે તેમના શબ્દોમાં વધુ સાવચેત રહેવું જોઈએ જેની વ્યાપક અસર થશે.
કોર્ટે નોંધ્યું હતું કે, અપીલકર્તાના વકીલ એ દર્શાવવામાં નિષ્ફળ ગયા હતા કે, તેમની સજા પર સ્ટે નહીં મુકવાથી, તેમને ચૂંટણી લડવાની તકથી વંચિત રાખવાથી તેમને વધુ નુકસાન થશે. કોર્ટે રાહુલ ગાંધીના વકીલની એ દલીલને પણ ફગાવી દીધી હતી કે, આ રીતે કોઈ સમુદાય વિરુદ્ધ બદનક્ષી થઈ શકે નહીં.