યુક્રેનમાં ફસાયેલા 219 ભારતીય વિદ્યાર્થીઓને લઈને પ્રથમ ફ્લાઈટ મુંબઈ પહોંચી!
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરીને પ્રથમ ફ્લાઈટ મુંબઈ પહોંચી છે. યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવેલા 219 ભારતીયોને લઈને પ્રથમ ફ્લાઈટ રોમાનિયાથી મુંબઈ પહોંચી છે.
મુંબઈ, 26 ફેબ્રુઆરી : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરીને પ્રથમ ફ્લાઈટ મુંબઈ પહોંચી છે. યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવેલા 219 ભારતીયોને લઈને પ્રથમ ફ્લાઈટ રોમાનિયાથી મુંબઈ પહોંચી છે. ભારતીય વિદ્યાર્થીઓનું વિમાન શનિવારે બપોરે રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી ઉડાન ભરી હવે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું છે. આ દરમિયાન યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવેલા ભારતીય નાગરિકોનું મુંબઈ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સ્વાગત કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી સાથે સેલ્ફી
આ દરમિયાન યુક્રેનથી ભારત પરત આવેલા વિદ્યાર્થીઓના ચહેરા પર તેમના દેશ પરત ફરવાની ખુશી સ્પષ્ટપણે જોવા મળે છે. યુક્રેનમાં ભયંકર પરિસ્થિતિ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ ભયમાં જીવી રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મુંબઈ એરપોર્ટ પર ભારતીયોનું સ્વાગત કર્યું હતું. આવી સ્થિતિમાં ઘણા વિદ્યાર્થીઓએ કેન્દ્રીય મંત્રી સાથે સેલ્ફી પણ લીધી હતી.
બીજી બેચ ટૂંક સમયમાં દિલ્હી પહોંચશે
વિદ્યાર્થીઓ વિશે પીયૂષ ગોયલે કહ્યું કે જ્યારથી આ કટોકટી શરૂ થઈ છે વડાપ્રધાન ચિંતિત હતા કે અમારા બાળકો, અમારા નાગરિકો સુરક્ષિત રીતે ભારત કેવી રીતે પાછા આવી શકે. રૂટ બનાવાયા, નજીકના દેશો સાથે સંપર્ક અને હેલ્પલાઇન સક્રિય કરાઈ. સંતોષની વાત છે કે આજે અમારા 219 બાળકો ભારત પહોંચ્યા છે. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, બીજી બેચ પણ ટૂંક સમયમાં દિલ્હી પહોંચશે. હવે દરેકને વહેલી તકે પરત લાવવાનો સતત પ્રયાસ રહેશે. વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ પર સતત નજર રાખી રહ્યા છે. જ્યાં સુધી તેઓ બધા ઘરે પાછા ન આવે ત્યાં સુધી અમે રોકાઈશું નહીં.
Welcome back to the motherland!
— Piyush Goyal (@PiyushGoyal) February 26, 2022
Glad to see the smiles on the faces of Indians safely evacuated from Ukraine at the Mumbai airport.
Govt. led by PM @NarendraModi ji is working relentlessly to ensure safety of every Indian. pic.twitter.com/fjuzjtNl9r
વતનમાં આપનું સ્વાગત છે!
આ પહેલા પીયૂષ ગોયલે ટ્વિટ કરતા લખ્યું કે, માતૃભૂમિમાં આપનું સ્વાગત છે! મુંબઈ એરપોર્ટ પર યુક્રેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા ભારતીયોના ચહેરા પર સ્મિત જોઈને આનંદ થયો. પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર દરેક ભારતીયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અથાક મહેનત કરી રહી છે.
વિદ્યાર્થીએ આપવીતી જણાવી
યુક્રેનથી પરત ફરેલા MBBS સ્ટુડન્ટનું કહેવું છે કે મને ભારત સરકારમાં વિશ્વાસ હતો કે તેઓ ચોક્કસપણે અમને અમારા દેશમાં પાછા લાવશે. થોડો ડર અને ગભરાટ હતો, પરંતુ અમે ભારતમાં પાછા આવીને ખૂબ જ ખુશ છીએ. આ સાથે એર ઈન્ડિયાના ફ્લાઈટ એટેન્ડન્ટે ઘરે પરત ફરેલા વિદ્યાર્થીઓ વિશે કહ્યું કે અમે અમારા ભારતીયોને ઘરે પાછા લાવી ખૂબ જ ખુશ છીએ. અમે અહીં મુંબઈ પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીઓ આનંદથી ઉછળી પડ્યા. અમને આ તક આપવા બદલ ભારત સરકારનો આભાર.
વિદ્યાર્થીઓ માટે તમામ સેવાઓ મફત રહેશે
વિદ્યાર્થીઓના આગમન પહેલા મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે આપણા દેશના બાળકો યુક્રેનથી પાછા આવી રહ્યા છે, જેમાં ઘણા રાજ્યોના બાળકો પણ સામેલ છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ સેવાઓ તમામ બાળકો માટે મફત હશે અને અમે તેમને તેમના ઘરે પહોંચાડીશું. મહારાષ્ટ્રના પણ 200 થી વધુ બાળકો છે.
Union Minister Piyush Goyal welcomes Indian students evacuated from Ukraine at Mumbai Airport pic.twitter.com/eqUfOuViyw
— ANI (@ANI) February 26, 2022