ઓડિશા CMએ નવા ચૂંટાયેલા PRIને આપી આવી સલાહ
ઓડિશા મુખ્યપ્રધાન નવીન પટનાયકે ગુરુવારના રોજ પંચાયતી રાજ સંસ્થાઓ (PRI સભ્યો) ના નવા ચૂંટાયેલા સભ્યોના ઓરિએન્ટેશન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.ઓડિશા મુખ્યપ્રધાન નવીન પટનાયકે ગુરુવારના રોજ પંચાયતી રાજ સંસ્થાઓ (PRI સભ્યો) ના ન
ભુવનેશ્વર, 3 જૂન : ઓડિશા મુખ્યપ્રધાન નવીન પટનાયકે ગુરુવારના રોજ પંચાયતી રાજ સંસ્થાઓ (PRI સભ્યો) ના નવા ચૂંટાયેલા સભ્યોના ઓરિએન્ટેશન કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમને ગામડાના પ્રશ્નોને પોતાની સમસ્યાઓ તરીકે ધ્યાનમાં લેવા અને તેના ઉકેલ માટે નિષ્ઠાવાન પ્રયાસો કરવાની સલાહ આપી હતી.
નવા ચૂંટાયેલા પંચાયત પ્રતિનિધિઓને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ વખતે મહિલાઓએ બહુમતી બેઠકો જીતી છે. આનાથી બીજુ બાબુનું મહિલા સશક્તિકરણનું સ્વપ્ન સાકાર થયું છે.
ગવર્નન્સ અને ડેવલપમેન્ટ પ્લાન્સમાં પંચાયતના મહત્વ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પંચાયત એ સેવાનું કેન્દ્ર છે. તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સરકારી યોજનાઓ અને સેવાઓથી જનતા વંચિત ન રહે તે જોવા જણાવ્યું હતું. તેમણે તેમને ગરીબો, મહિલાઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના અધિકારોનું રક્ષણ કરવાની સલાહ પણ આપી હતી.
તેમના ગામના વિકાસમાં 5T પહેલને અમલમાં મૂકવાની સલાહ આપતા પટનાયકે જણાવ્યું હતું કે, તેના દ્વારા ગામ અને પંચાયતમાં પરિવર્તન અન્ય લોકો માટે રોલ મોડલ બની શકે છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જનતાએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે, તેમ જણાવતા તેમણે PRIના સભ્યોને સલાહ આપી હતી કે, તેઓ લોકોને ક્યારેય નિરાશ ન થવા દે અને તેમના વિશ્વાસને પવિત્ર જવાબદારી માનીને તેમની સેવા કરે. તે લોકોના હૃદયમાં કાયમ માટે સ્થાન મેળવશે.
સમારંભમાં ઉપસ્થિત રહેલા પંચાયતી રાજ અને પીવાના પાણીના મંત્રી પ્રતાપ જેનાએ રાજ્યના વિકાસમાં PRIની ભૂમિકા અને વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો પર પ્રકાશ પાડ્યો હતો.
ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં બોલતા, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (E&IT) વિભાગના સચિવ મનોજ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ GPsમાં ટૂંક સમયમાં એક 'મો સેબા કેન્દ્ર' ખોલવામાં આવશે. જેથી કરીને લોકોને વધુ સારી સેવા પૂરી પાડવામાં આવે. ઓડિશા સરકારની 5T પહેલ.
ભારતનેટ દ્વારા જીપી ઓફિસમાં બ્રોડબેન્ડ વાસ્તવિકતા બની ગયું હોવાનું જણાવતાં ઇ એન્ડ આઇટી સેક્રેટરીએ જણાવ્યું હતું કે, જીપી ઓફિસમાં વીસી સુવિધા સાથેનો મલ્ટીપર્પઝ ડિજિટલ રૂમ બનાવવામાં આવશે, જેથી લોકો સરકાર સાથે વધુ સારી રીતે જોડાઈ શકે. ડિજીટલ રૂમનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે તાલીમ હેતુ અને ઓનલાઈન વર્ગો માટે પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, 2023 સુધીમાં LWE વિસ્તારમાં 480 ટાવર અમલીકરણ હેઠળ અને 3,993 ગામોને નવી કનેક્ટિવિટી માટે હાથ ધરવામાં આવતાં મોબાઇલ કનેક્ટિવિટી નોંધપાત્ર રીતે વધુ સારી બનશે. તેમણે PRI સભ્યોને વિલંબ કર્યા વિના મોબાઈલ ટાવર ઓપરેટરોને એનઓસી આપવા અને જીપી ઓફિસમાં મો સેબા કેન્દ્ર અને ડિજિટલ વીસી રૂમ માટે જગ્યા બનાવવા વિનંતી કરી હતી.
ખાદ્ય પુરવઠા અને ગ્રાહક કલ્યાણ મંત્રી રણેન્દ્ર પ્રતાપ સ્વૈન, કૃષિ અને ખેડૂત સશક્તિકરણ મંત્રી અરુણ સાહૂ, મિશન શક્તિ ટુકુની સાહુ અને મુખ્ય સચિવ સુરેશ ચંદ્ર મહાપાત્રા પણ હાજર હતા.