Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારને મોટો ઝટકો, મહાવિકાસ અગાદી ગઠબંધનથી અલગ થઇ આ પાર્ટી

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ઉદ્ધવ ઠાકરે સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સ્વાભિમાની પક્ષ, જે મહા વિકાસ અઘાડી ગઠબંધનનો ભાગ છે, તેણે જાહેરાત કરી છે કે તે હવે આ ગઠબંધનનો ભાગ નહીં રહે. સ્વાભિમાન પક્ષના નેતા રાજ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ઉદ્ધવ ઠાકરે સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સ્વાભિમાની પક્ષ, જે મહા વિકાસ અઘાડી ગઠબંધનનો ભાગ છે, તેણે જાહેરાત કરી છે કે તે હવે આ ગઠબંધનનો ભાગ નહીં રહે. સ્વાભિમાન પક્ષના નેતા રાજુ શેટ્ટીએ મંગળવારે તેમની પાર્ટીના સંમેલનમાં ગઠબંધન તોડવાની જાહેરાત કરતા કહ્યું, "અમે પાર્ટીના નેતાઓ સાથે લાંબી ચર્ચા કર્યા પછી આ ગઠબંધનમાંથી અલગ થવાનો નિર્ણય કર્યો છે." સ્વાભિમાની પક્ષ અને મહાવિકાસ આઘાડી વચ્ચે આજથી અને હવેથી કોઈ સંબંધ નથી.

પાર્ટીએ પહેલા જ એકમાત્ર ધારાસભ્યને હાંકી કાઢ્યા છે

પાર્ટીએ પહેલા જ એકમાત્ર ધારાસભ્યને હાંકી કાઢ્યા છે

તમને જણાવી દઈએ કે રાજુ શેટ્ટીએ હાલમાં જ તેમની પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય દેવેન્દ્ર ભુયારને 'સ્વાભિમાની પક્ષ'માંથી હાંકી કાઢ્યા હતા. રાજુ શેટ્ટીએ કહ્યું કે દેવેન્દ્ર ભુયાર 2019ની વિધાનસભા ચૂંટણીથી NCP નેતાઓના સંપર્કમાં છે અને ક્યારેય સ્વાભિમાની પક્ષના પ્લેટફોર્મ પર દેખાયા નથી, તેથી તેમને પાર્ટીમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં, દેવેન્દ્ર ભુયાર સ્વાભિમાની પક્ષની ટિકિટ પર મહારાષ્ટ્રની મોરશી બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.

'ખેડૂતોના મુદ્દે અમારે પણ વિરોધ કરવા બહાર આવવું પડ્યું'

'ખેડૂતોના મુદ્દે અમારે પણ વિરોધ કરવા બહાર આવવું પડ્યું'

મંગળવારે પાર્ટીના અધિવેશનમાં રાજુ શેટ્ટીએ કહ્યું, "મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ, નિર્ણય લેવામાં આવ્યો હતો કે સરકાર માટે ખેડૂતોનું હિત સર્વોપરી રહેશે. મારી પાર્ટી પણ આ ગઠબંધનનો ભાગ બની. જો કે, સરકારના છેલ્લા અઢી વર્ષના કાર્યકાળમાં પૂરના કારણે થયેલા નુકસાન માટે ખેડૂતોને યોગ્ય વળતરની માંગણી સાથે અમારે રાજ્ય સરકાર સામે વિરોધ પણ કરવો પડ્યો હતો. ખેડૂતોની જમીન સંપાદનના બદલામાં સરકારે વળતરની રકમમાં ઘટાડો કર્યો અને તેના માટે પણ અમારી પાર્ટી રસ્તા પર ઉતરી.

મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર ખેડૂતો સાથે જોડાયેલા દરેક મુદ્દે નિષ્ફળ

મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર ખેડૂતો સાથે જોડાયેલા દરેક મુદ્દે નિષ્ફળ

રાજુ શેટ્ટીએ પોતાના પક્ષના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું, 'મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર ખેડૂતો સાથે જોડાયેલા દરેક મુદ્દા પર નિષ્ફળ સાબિત થઈ છે. અને, આ કારણોસર આજે હું આ મંચ પરથી જાહેર કરું છું કે અમારું હવે મહાવિકાસ આઘાડી સાથે કોઈ જોડાણ નથી. ગઠબંધનથી અલગ થયા બાદ અમે ખેડૂતો પાસે જઈશું, તેમની સાથે વાત કરીશું અને અમારા નિર્ણયની જાણકારી આપીશું.

કોણ છે રાજુ શેટ્ટી?

કોણ છે રાજુ શેટ્ટી?

ઉલ્લેખનીય છે કે દેવપ્પા અન્ના શેટ્ટી ઉર્ફે રાજુ શેટ્ટીએ પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત જિલ્લા પરિષદના સભ્ય તરીકે કરી હતી અને ત્યાર બાદ તેઓ બે વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. રાજુ શેટ્ટીનું નામ પણ એ 12 લોકોમાં સામેલ છે જેમને એમએલએ (MLC) બનાવવા માટે રાજ્યપાલ દ્વારા ભલામણ કરવામાં આવી છે. મંગળવારે પાર્ટીના સંમેલનમાં રાજુ શેટ્ટીએ કહ્યું કે તેઓ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને તેમનું નામ યાદીમાંથી હટાવવા માટે કહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X