ફરીથી વધી રહેલી કોરોનાની R-વેલ્યુ ખતરાની ઘંટી તો નથી ને!
કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે ભારતમાં કોવિડ-19 ની R વેલ્યૂ વધી રહ્યી છે. જે ચિંતાનું કારણ છે. આર-વેલ્યુ કહે છે કે કોરોના વાયરસ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે.
કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે ભારતમાં કોવિડ-19 ની R વેલ્યૂ વધી રહ્યી છે. જે ચિંતાનું કારણ છે. આર-વેલ્યુ કહે છે કે કોરોના વાયરસ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબરના મધ્યમાં દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચરમસીમાએ પહોંચી શકે છે. પરંતુ ચેન્નાઈ સ્થિત ગણિત વિજ્ઞાન સંસ્થાના સંશોધકોએ જણાવ્યું છે કે 14 થી 17 ઓગસ્ટ વચ્ચે કોરોનાની R વેલ્યૂ 0.89 હતી, જે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં વધીને 1.17 થઈ ગઈ છે. જે ચિંતાનો વિષય છે.

R-વેલ્યુ વિશે નિષ્ણાતોએ શું કહ્યું?
સંશોધકોની ટીમનું નેતૃત્વ કરી રહેલી સીતાભારા સિન્હાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું છે કે, કોવિડ -19 નું આર-વેલ્યુ આ વખતે 1 કરતા વધારે છે એટલુ જ નહીં પરંતુ તે ગઈ વખત કરતા પણ વધારે છે. કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે હાલ કોવિડ-19 નું આર-વેલ્યુ 1.17 છે તે ચિંતાજનક છે.

કેરળ અને મહારાષ્ટ્રમાં R-વેલ્યુ સૌથી વધુ છે.
સીતાભારા સિંહાએ કહ્યું કે, દેશના ઘણા રાજ્યોમાં ઓગસ્ટના છેલ્લા કેટલાક દિવસોમાં આર-વેલ્યુ 1 ને વટાવી ગઈ છે. ખાસ કરીને કેરળ અને મહારાષ્ટ્રમાં આર-વેલ્યુમાં નોંધપાત્ર વધારો થયો છે. તે જ સમયે, મિઝોરમ અને જમ્મુ-કાશ્મીરમાં આર-વેલ્યુ વધી છે.

R-વેલ્યુ આટલી મહત્વની કેમ?
આર-વેલ્યુ કહે છે કે કોરોના કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે સ્પષ્ટ છે કે જ્યારે કોરોના વેવ તેની ચરમસીમા પર હોય ત્યારે આર-વેલ્યુ નોંધપાત્ર રીતે વધે છે. પરંતુ હાલમાં દેશમાં કોરોના વાયરસના દૈનિક આંકડા ઘટી રહ્યા છે, આ સ્થિતિમાં આર-વેલ્યુમાં વધારો સ્પષ્ટપણે સંકેત આપે છે કે કોરોનાની ત્રીજી લહેર આવવાની છે. જો આર-વેલ્યુ 1 કરતા વધારે હોય તો તેનો અર્થ એ છે કે સંક્રમિત લોકોની સંખ્યા દરેક રાઉન્ડમાં વધી રહી છે. તમે તેને વધતી જતી મહામારીનો તબક્કો પણ કહી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો, તે બતાવે છે કે વાયરસ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
