સુપ્રીમ કોર્ટે EVM પરથી રાજકીય ચિહ્નો હટાવવાની માંગ કરતી અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે મંગળવારે EVM પર રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નો હટાવવા અને ઉમેદવારનો ફોટો લગાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. અરજીમાં માગણી કરવામાં આવી હતી કે ચૂંટણી પંચને બેલેટ પેપર અને ઈવીએમમાંથી પાર
સુપ્રીમ કોર્ટે મંગળવારે EVM પર રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નો હટાવવા અને ઉમેદવારનો ફોટો લગાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. અરજીમાં માગણી કરવામાં આવી હતી કે ચૂંટણી પંચને બેલેટ પેપર અને ઈવીએમમાંથી પાર્ટીના ચિહ્નને હટાવવાનો નિર્દેશ આપવામાં આવે. ચિન્હના બદલે ઈવીએમ પર ઉમેદવારનું નામ, ઉંમર, શિક્ષણ અને ફોટોની માંગણી કરવામાં આવી હતી.
આ મામલાની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા યુયુ લલિતની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે જ્યારે કોઈ રાજકીય પક્ષનો ઉમેદવાર બને છે ત્યારે પાર્ટીનું ચૂંટણી ચિન્હ તેની ઓળખ હોય છે. જો EVM પર પાર્ટીનું સિમ્બોલ નહીં લગાવવામાં આવે તો તે પોતાના રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરશે? ચૂંટણી પંચને તમારી દલીલો જણાવો.
અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે દલીલ કરી હતી કે જો મતદાર મતદાન કરતી વખતે ઉમેદવારને જુએ છે, તો સિસ્ટમમાં વધુ સારા લોકો હશે. પક્ષને વધુ સારા લોકોને ટિકિટ આપવા દબાણ કરવામાં આવશે. આ પ્રક્રિયા બ્રાઝિલમાં ચાલી રહી છે. જ્યાં કોઈ પ્રતીક નથી. જેથી મતદારો ઉમેદવારના આધારે જઈને મતદાન કરે અને પક્ષના નામે મત ન આપે.
વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે કહ્યું કે અમે ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગ કરી રહ્યા છીએ. જેના પર ચીફ જસ્ટિસે પૂછ્યું કે તમે આ કયા આધારે કરી રહ્યા છો? એડવોકેટ વિકાસ સિંહે કહ્યું કે અમે આ કલમ 14 અને 21ના આધારે કરી રહ્યા છીએ. તેમણે કોર્ટને કહ્યું કે EVM પર પાર્ટીના ચિન્હોનું પ્રદર્શન મતદારોની પસંદગીને પ્રભાવિત કરે છે અને તેમને ચૂંટણીના ઉમેદવારોની વિશ્વસનીયતાના આધારે મતદાન કરવાની તક આપે છે. આ સાથે તેમણે કહ્યું કે રાજકીય નેતાઓમાં ગુનાખોરી વધી છે.
ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે જો અરજદારની રજૂઆતને ભારતના ચૂંટણી પંચ દ્વારા ધ્યાનમાં લેવામાં આવે તો તે ન્યાયનો અંત હશે. સુપ્રીમ કોર્ટમાં આ અરજી ભાજપના નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયે દાખલ કરી હતી. જેમાં તેમણે ઈવીએમમાંથી પાર્ટીનું ચિહ્ન હટાવવાની માંગ કરી હતી.