ટ્રાન્સપોર્ટ કમિશનરે સામાન્ય પેસેન્જર તરીકે બસની સવારી કરી, મુખ્યમંત્રીએ વખાણ કર્યા

કમિશનરની બસની સવારી દિલ્હી સરકારે બુધવારના રોજ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) અને પરિવહન વિભાગના તમામ ગ્રુપ A અને B અધિકારીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત બસમાં મુસાફરી કરવાની સલાહ આપી હતી.

નવી દિલ્હી : વાહનવ્યવહાર કમિશનર આશિષ કુન્દ્રા શનિવારના રોજ મુસાફરોને પડતી સમસ્યાઓનો સ્ટોક લેવા માટે રાજ્યની બસમાં સવાર થયા હતા. આ પગલાની મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે પ્રશંસા કરી હતી.

કમિશનરની બસની સવારી દિલ્હી સરકારે બુધવારના રોજ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) અને પરિવહન વિભાગના તમામ ગ્રુપ A અને B અધિકારીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત બસમાં મુસાફરી કરવાની સલાહ આપી હતી. કુન્દ્રાએ ટ્વિટર પર સરકારી બસમાં મુસાફરી કરતી પોતાની સેલ્ફી પોસ્ટ કરી હતી. કેજરીવાલે આ પ્રયાસની પ્રશંસા કરી અને તેને એક દુર્લભ નજારો ગણાવ્યો હતો.

કેજરીવાલે જણાવ્યું હતું કે, જનતા કેન્દ્રીત સરકાર

કેજરીવાલે જણાવ્યું હતું કે, જનતા કેન્દ્રીત સરકાર

કેજરીવાલે ટ્વીટ કર્યું કે, અમે લોકો કેન્દ્રિત સરકાર છીએ. અમારા અધિકારીઓ, મંત્રીઓ અને ધારાસભ્યો સતત લોકોની વચ્ચે કામ કરી રહ્યાછે. રાજ્યના વાહનવ્યવહાર કમિશનરે રાજ્યની બસમાં મુસાફરી કરતી વખતે મુસાફરોને પડતી સમસ્યાઓ વિશે વાત કરી હતી.

પરિવહન મંત્રીએ કહ્યું - જોઈને આનંદ થયો

પરિવહન મંત્રીએ કહ્યું - જોઈને આનંદ થયો

આવા સમયે, પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતે પણ કુન્દ્રાના પ્રયાસની પ્રશંસા કરી હતી. તેમણે ટ્વીટ કર્યું કે, પરિવહન કમિશનર કુન્દ્રાનેબસમાં મુસાફરી કરતા જોઈને આનંદ થયો.

સરકારી વ્યવસ્થા છોડીને કુન્દ્રા એક સામાન્ય મુસાફરની જેમ લગભગ અઢી કલાક સુધી સરકારીબસોમાં રહ્યા હતા. તેમણે સામાન્ય મુસાફરના દૃષ્ટિકોણથી બસોની વ્યવસ્થા જોઈ અને અનુભવી.

આ દરમિયાન, તેઓ બસમાં ક્યાંક ઉભારહીને અથવા સીટ પર બેસીને મુસાફરી કરતા હતા, આ સાથે ઉભેલા મુસાફર સાથે વાત કરતા હતા અથવા સાથે સીટ પર બેઠા હતા. એસી,નોન એસી અને ઇલેક્ટ્રિક સહિત તેમને ચાર બસમાં મુસાફરી કરી હતી.

મુસાફરી દરમિયાન લીધી સેલ્ફી

આકરા તડકા અને તાપમાં પણ બસ સ્ટોપ પર બસની કતાર વગરના આશ્રયની રાહ જોતા હતા. બસમાં મુસાફરી કરતી વખતે સેલ્ફી લીધી,તેમણે કહ્યું કે, એક જગ્યાએ પેસેન્જરે બસના રૂટ વિશે સૂચન કર્યું હતું. તેમણે પશ્ચિમ દિલ્હીનો પ્રવાસ કર્યો.

તેમણે કહ્યું કે, તેઓ દર અઠવાડિયેએક દિવસ બસમાં મુસાફરી કરશે અને મુસાફરોની સમસ્યાઓ જાણીને તેનું નિરાકરણ કરશે. 24 મે ના રોજ કેજરીવાલે 150 ઈ બસને લીલીઝંડી બતાવી હતી.

દિલ્હી સરકારે સ્વચ્છ ચળવળને પ્રોત્સાહન આપવા માટે 24 થી 26 મે દરમિયાન તમામ માટે ઈ બસમાં મફત મુસાફરીનીજાહેરાત કરી હતી. શુક્રવારના સત્તાવાર નિવેદન મુજબ, મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપ્યા બાદ ઇલેક્ટ્રિક બસોમાં લગભગ એક લાખ લોકોએદિલ્હીની મુસાફરી કરી હતી.

કુન્દ્રાએ ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરનું નિરીક્ષણ કર્યું

કુન્દ્રાએ વાહનવ્યવહાર વિભાગના ઝુલઝુલી ખાતે ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સેન્ટરના ઈન્ચાર્જ અને ડેપ્યુટીકમિશનર અનિલ છિકારા પાસેથી સિસ્ટમ સમજી હતી અને કામની પ્રશંસા કરી હતી. અહીં બસની ફિટનેસ ચેક ઓટોમેટેડ રીતે થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X