રામપુર જતા કાફલાના વાહનો ટકરાયા, હાપુડ રોડ પર થયો અકસ્માત
ઉત્તર પ્રદેશના પ્રભારી અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુરુવારે દિલ્હી હિંસામાં પોતાનો જીવ ગુમાવનાર ખેડૂત નવરિતસિંહના પરિવારજનોને મળવા માટે આજે રામપુર જઇ રહ્યા હતા. રામપુર જતા માર્ગ પર પ્રિયંકા ગાંધીનો કાફલો હાપુર
ઉત્તર પ્રદેશના પ્રભારી અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુરુવારે દિલ્હી હિંસામાં પોતાનો જીવ ગુમાવનાર ખેડૂત નવરિતસિંહના પરિવારજનોને મળવા માટે આજે રામપુર જઇ રહ્યા હતા. રામપુર જતા માર્ગ પર પ્રિયંકા ગાંધીનો કાફલો હાપુર રોડ પર ટકરાયો હતો. જો કે આ અકસ્માતમાં કોઈને ઇજા પહોંચી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ધુમ્મસને કારણે બની હતી.

પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ, પ્રિયંકા ગાંધીનો કાફલો રામપુર તરફ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યો હતો, ત્યારે કાર ગરમ થઈ ગઈ અને તેમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું. કહેવામાં આવી રહ્યું છે કે ધુમાડો નીકળતો જોઇને ડ્રાઇવરે અચાનક કારની બ્રેક લગાવી દીધી હતી. અચાનક બ્રેક મારવા અને કાર અટકી જવાને કારણે કાફલામાં પાછળથી ચાલતા ટેકેદારોના વાહનો ટકરાયા હતા. આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી.
આ પણ વાંચો: PM મોદી આજે ગોરખપુરમાં ચૌરી-ચૌરા શતાબ્દી સમારંભનુ ઉદઘાટન કરશે












Click it and Unblock the Notifications
