For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

31 માર્ચથી આ નિયંત્રણો હળવા થશે, નવી કોરોના ગાઈડલાઈન જાહેર

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોવિડ નિવારણ પગલાં માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓને રદ્દ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો છે અને હવે દરરોજ બે હજારથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. આ પછી, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોવિડ નિવારણ પગલાં માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓને રદ્દ કરી દીધી છે.

કોરોના વાયરસના સંક્રમણના સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને, સરકારે લગભગ બે વર્ષ બાદ 31 માર્ચથી કોવિડ 19 સંબંધિત તમામ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પર આ મોટી જાહેરાત

સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પર આ મોટી જાહેરાત

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું કે, 31 માર્ચથી કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લાદવામાં આવેલા તમામ નિયંત્રણો ખતમકરવામાં આવી રહ્યા છે. જોકે, તેમ છતાં માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવાના નિયમો અમલમાં રહેશે.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાના જણાવ્યા અનુસાર,લાગુ નિયમોની અવધિ 31 માર્ચના રોજ સમાપ્ત થઈ રહી છે અને તે પછી ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે કોઈ વધુ આદેશ જાહેર કરવામાં આવશે નહીં.

24 માર્ચ, 2020 ના રોજ પ્રતિબંધો લાદયા હતા

24 માર્ચ, 2020 ના રોજ પ્રતિબંધો લાદયા હતા

24 માર્ચ, 2020 ના રોજ પ્રથમ વખત, કેન્દ્ર સરકારે દેશમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, (DM એક્ટ) 2005 હેઠળ ઘણીમાર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી અને સંજોગો અનુસાર સમયાંતરે ફેરફારો પણ કર્યા હતા.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોનેલખેલા પત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા 24 મહિનામાં વૈશ્વિક રોગચાળાના સંચાલનના વિવિધ પાસાઓ જેમ કે રોગની શોધ, દેખરેખ, સંપર્ક ટ્રેસિંગ, સારવાર, કેટલાકમહત્વપૂર્ણ પગલાં જેમ કે, રસીકરણ, હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ વગેરે અંગે લેવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે, તે જ સમયે, હવે સામાન્ય લોકો પણ કોવિડ 19 સાથે વ્યવહાર કરવા માટે જરૂરી યોગ્ય વર્તન વિશે ખૂબ જાગૃત છે. ભલ્લાએ પત્રમાં જણાવ્યું હતું કે, 'વૈશ્વિકરોગચાળાના ઘટતા જતા પ્રકોપની સ્થિતિ અને સરકારની તૈયારીઓને ધ્યાનમાં લીધા બાદ, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણે નિર્ણય લીધો છે કે, હવે ડીએમએક્ટની જોગવાઈઓને લાગુ કરવાની જરૂર નથી. COVID 19 નિવારણનાં પગલાં લેવા જરૂર નથી.'

કોરોનાના સક્રિય કેસની સંખ્યા 23913

કોરોનાના સક્રિય કેસની સંખ્યા 23913

અજય ભલ્લાએ કહ્યું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પણ તેમની ક્ષમતાઓ અને પ્રણાલીઓ વિકસાવી છે અને વૈશ્વિક રોગચાળાના સંચાલન માટે તેમની વિગતવારવિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકી છે. છેલ્લા સાત સપ્તાહમાં નવા કેસોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે.

22 માર્ચે કોવિડ 19ના સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને23,913 થઈ ગઈ હતી અને સંક્રમણનો દર 0.28 ટકા હતો. અહીં એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, દેશમાં કોવિડ19 વિરોધી રસીના 181.56 કરોડથી વધુ ડોઝ આપવામાંઆવ્યા છે.

24 કલાકમાં કોરોનાના 1778 નવા કેસ સામે આવ્યા છે

24 કલાકમાં કોરોનાના 1778 નવા કેસ સામે આવ્યા છે

ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થયો છે અને છેલ્લા 24 કલાકમાં કોવિડ19ના 1,778 નવા કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુંકે, આ સમયગાળા દરમિયાન 62 લોકોના મોત પણ થયા છે. સતત ચોથા દિવસે કોરોનાના બે હજારથી ઓછા કેસ નોંધાયા છે.

આ અગાઉ 20 માર્ચના રોજ કોરોનાના1761 કેસ નોંધાયા હતા, જ્યારે 21 માર્ચના રોજ દેશમાં કોરોનાના 1549 કેસ નોંધાયા હતા. આવા સમયે, ગઈકાલે એટલે કે 22 માર્ચે, કોરોનાના 1581 દર્દીઓ મળીઆવ્યા હતા.

English summary
These restrictions will be eased in the country from March 31, this big announcement on social distance and masks, new Corona guideline announced.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X