ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો, 7 જૂન બાદ અરબી સમૂદ્રમાં લો પ્રેસર સર્જાશે
પુરો ઉનાળો હેરાન થયા બાદ ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 7 જૂન બાદ અરબી સમૂદ્રમાં સાગરમાં વધુ એક વાવાઝોડુ આકાર લેવા જઈ રહ્યું છે.
ભારતીય હવામાન વિભાગે 7 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં એક લો-પ્રેશર સર્જાવાની આગાહી કરી છે. કેન્દ્રીય હવામાન એજન્સીએ જણાવ્યું કે, 5 જૂન આસપાસ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતનું પરિભ્રમણ થવાની સંભાવના છે. તેના પ્રભાવથી આ જ વિસ્તારમાં આગામી 48 કલાક દરમિયાન લો પ્રેસર રચાય તેવી શક્યતા છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ક્ષિણદ-પશ્ચિમનું ચોમાસું દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગ માલદીવ્સ અને કોમોરિન વિસ્તાર અને બંગાળની દક્ષિણ ખાડીના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. IMD અનુસાર, દક્ષિણના કેટલાક વધુ ભાગોમાં આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.
હવામાન એજન્સીએ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 1 અને 2 જૂનના રોજ ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની સંભાવના છે અને ગુરુવારે 1 જૂને જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.
આ સિવાય હવામાન વિભાગે દક્ષિણમાં ગુરુવારે તમિલનાડુ અને કોસ્ટલ કર્ણાટકમાં અને કેરળમાં 5 જૂન સુધીમાં ભારે વરસાદની આગાહી કરી છે.












Click it and Unblock the Notifications
