નવી દિલ્હી, 14 એપ્રિલઃ લોકસભા ચૂંટણી હેઠળ પશ્ચિમ બંગાળમાં તૃણમૂળ કોંગ્રેસને સૌથી વધારે બેઠકો મળવાનો અનુમાન છે. ઇન્ડિયા ટૂડે અને CICEROના સર્વે થકી રાજ્યમાં મતદાતાઓના મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. એ અનુસાર પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનરજીનો જાદૂ યથાવત છે, પરંતુ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે સૌથી પહેલી પસંદ છે. સર્વે અનુસાર રાજ્યમાં ભાજપના મતોની ટકાવારી વધતી જોવા મળી રહી છે, પરંતુ તે બેઠકોમાં બદલાતી જોવા મળી રહી નથી. લેફ્ટ પાર્ટીઓને 7થી 11 બેઠકો મળવાનો અનુમાન છે. બીજી તરફ અન્યના ખાતામાં શૂન્યથી એક બેઠક આવી શકે છે.
આ વખેત જ્યારે બંગાળના મતદાતાઓ પીએમ તરીકે કોને જોવા માગે છે, તો ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રીય જોવા મળ્યા. સર્વેમાં સામેલ 31 ટકા લોકોના મતે મોદી સારા વડાપ્રધાન સાબીત થઇ શકે છે, જ્યારે 24 ટકા લોકો મમતાન પક્ષમાં છે. 19 ટકા લોકો રાહુલ ગાંધીના જ્યારે 7 ટકા લોકો પ્રકાશ કરાતના પક્ષમાં છે. મનમોહન સિંહના પક્ષમાં ત્રણ અને બુદ્ધદેવ ભટ્ટાચાર્યના પક્ષમાં 2 ટકા લોકો છે.