સ્કૂલો ફરીથી ખોલવા અંગે મોટા વૈજ્ઞાનિકોએ હવે આપી આ સલાહ

પૂર્વ આઈસીએમઆર વૈજ્ઞાનિકે કહ્યુ કે સ્કૂલો ખોલવાનો નિર્ણય ઉતાવળમાં ન લેવો જોઈએ કારણકે..

નવી દિલ્લીઃ કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની સંભાવના ખૂબ ઓછી છે અને જો ત્રીજી લહેર આવશે તો તે બીજી લહેરની સરખામણીમાં ઓછી પ્રભાવી હશે. આ વાત પૂર્વ આઈસીએમઆર વૈજ્ઞાનિક ડૉ. રમન ગંગાખેડકરે કહી. આ સાથે જ તેમણે બાળકોની સ્કૂલોને ફરીથી ખોલવા વિશે પણ વાત કરી. તેમણે કહ્યુ કે સ્કૂલો ખોલવાનો નિર્ણય ઉતાવળમાં ન લેવો જોઈએ કારણકે અમુક નવા રિસર્ચ કોવિડ-19 સંક્રમણ બાળકોમાં પણ દીર્ઘકાલિન દુષ્પ્રભાવો હોવાની સંભાવના વ્યક્ત કરે છે. ગંગાખેડકરે કહ્યુ કે, 'સ્કૂલ ખોલવા માટે એક વિકેન્દ્રીત દ્રષ્ટિકોણ હોવો જોઈએ. એક નિશ્ચિત ક્ષેત્રમાં કેસોની સંખ્યાના આધારે નિર્ણય(સ્કૂલ ખોલવા માટે) લેવો જોઈએ.'

school

કોવિડ-19 એક ઈન્ફ્લુએન્ઝા વાયરસની જેમ સમાપ્ત થઈ શકે છે

2020 જૂનમાં આઈસીએમઆરે સેવાનિવૃત્ત થયેલા વૈજ્ઞાનિક ગંગાખેડકરનુ માનવુ છે કે કોવિડ-19 એક ઈન્ફ્લુએન્ઝા વાયરસની જેમ સમાપ્ત થઈ શકે છે - જે એક મહામારી રૂપે આવ્યો હતો અને હવે આપણા વાતાવરણમાં નિયમિત રીતે શરદી અને ફ્લુનુ કારણ હોય છે. રસીની સાથે લોકોસાથે અંતર જાળવી શકાય છે અથવા સંક્રમણ બાદ હળવા લક્ષણો આવી શકે છે. તે પરીક્ષણ માટે ન જતા જેના કારણે સંક્રમણની સંખ્યામાં ઘટાડો થાય છે.

બે-તૃતીયાંશ વસ્તીએ એન્ટીબૉડી વિકસિત કરી લીધી છે

ગંગાખેડકરે જણાવ્યુ કે ચોથા સીરો સર્વે મુજબ લગભગ બે-તૃતીયાંશ વસ્તીએ એન્ટીબૉડી વિકસિત કરી લીધી છે. મધ્ય પ્રદેશ-78 ટકાથી કેરળ-44 ટકા સુધી કોવિડ-19 સામે એંટીબૉડીની વ્યાપક રેન્જ છે. આનાથી ખબર પડે છે કે વિવિધ રાજ્યોમાં કોવિડની ચપેટમાં આવનારા લોકોની સરેરાશમાં ભિન્નતા છે. આ સંક્રમણનો મૂળ સ્ત્રોત -જનસંખ્યા ઘનત્વ, ગતિશીલતા, પ્રવાસ અને કોવિડને યોગ્ય વ્યવહારનુ પાલન - રાજ્યો વચ્ચે અંતર છે અને જો ત્રીજી લહેર આવશે તો તેનો સમય, સ્થાન અને તીવ્રતા અલગ-અલગ હશે. તેમણે કહ્યુ કે કેન્દ્રીય અંતતઃ કોવિડના સ્થાનિક થતા પહેલા નબળા ક્ષેત્રોમાં આનો પ્રકોપ થશે. જેમ-જેમ કવરેજ વધશે તેમ-તેમ હોસ્પિટલમાં ભરતી થવા, ગંભીર બિમારી અને મૃત્યુના કેસોનો રિપોર્ટ થશે.

સ્ટરીલાઈઝિંગ ઈમ્યુનિટી નથી આપતા

વરિષ્ઠ વૈજ્ઞાનિક ગંગાખેડકરે કહ્યુ કે જો કે અમે સંક્રમણોની સંખ્યામાં વધારો નોંધવાનુ ચાલુ રાખીશુ કારણકે રસી સ્ટરલાઈઝિંગ ઈમ્યુનિટી નથી આપતા જે સંક્રમણને પણ રોકે છે. આ રસી રોગ-સંશોધિત છે પરંતુ લોકોને સંક્રમણથી બચાવવાાં સક્ષમ નથી. ગંગાખેડકરે કહ્યુ કે જ્યારે કેસોની સંખ્યા વધી શકે છે, ચિંતાનુ કોઈ કારણ નથી જ્યાં સુધી કોઈ નવો તણાવ ન થાય જેની સામે આ રસી કામ ન કરે.

જોખમને ઘટાડવા માટે એક રસી લેવી જોઈએ

ભારતમાં એચઆઈવી મહામારી સામે રોકથામ અને નિયંત્રણ રણનીતિઓમાં શામેલ ડૉ. ગંગાખેડકરે કહ્યુ કે હજુ એવુ કોઈ ભિન્ન અંતર્દષ્ટિ નથી જેમાં આવતી લહેર પેદા કરવાની ક્ષમતા હોય. તેમણે કહ્યુ કે આપણી રસીકરણની સ્થિતિ છતાં કોવિડ યોગ્ય વ્યવહારનુ પાલન કરવાની જરૂ છે કારણકે આ નવા સંક્રમણ સામે સૌથી સુરક્ષાત્મક ઉપાય છે, ભલે કોઈ નવા પ્રકારના સંપર્કમાં હોય. પ્રત્યેક વયસ્કનો કોવિડના કારણે મૃત્યુના જોખમને ઘટાડવા માટે એક રસી લેવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X