કોરોના વાયરસ પ્રોટોકૉલ માટે લગ્નમાં હોબાળો કરનાર ત્રિપુરાના DMને કરવામાં આવ્યા સસ્પેન્ડ
ત્રિપુરા(પશ્ચિમ)ના જિલ્લાધિકારી શૈલેષકુમાર જાધવને રાજ્ય સરકારે સસ્પેન્ડ કરી દીધા છે.
અગરતલાઃ ત્રિપુરા(પશ્ચિમ)ના જિલ્લાધિકારી શૈલેષકુમાર જાધવને રાજ્ય સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસનો હવાલો આપીને એક લગ્ન સમારંભને વચ્ચે જ અટકાવી દીધુ હતુ જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે તેમના પર કાર્યવાહી કરી. આ સપ્તાહની શરૂઆતમાં લગ્ન સમારંભ પર કાર્યવાહી કરવા અંગે તેમણે એક સમિતિને આ મામલે સફાઈ આપી. આ સમિતિને મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબના આદેશ પર રચવામાં આવી હતી જેમાં બે વરિષ્ઠ અધિકારીઓ શામેલ હતા. શૈલેન્દ્રએ કમિટીને જણાવ્યુ કે, 'કાયદો વ્યવસ્થાને લાગુ કરવી અને કોરોના વાયરસને ફેલાતો અટકાવવો મારી ફરજ હતી. મે એ રાતે જે કંઈ પણ કર્યુ, હું તેની સાથે ઉભો છુ.'
ધારાસભ્ય આશીષ સાહા અને સુશાંત ચૌધરી સહિત ઘણા ભાજપ નેતાઓએ ત્રિપુરાના મુખ્ય સચિવ મનોજ કુમારને પત્ર લખીને યાદવને હટાવવાની માંગ કરી હતી. પશ્ચિમ ત્રિપુરા જિલ્લાના ભાજપ સાંસદ પ્રતિમા ભૌમિકે મીડિયાને ત્યાં સુધી કહ્યુ કે તેઓ વ્યક્તિગત રીતે દુલ્હનના પરિવાર સાથે વાત કરશે.
છેવટે કેમ લેવામાં આવ્યો ડીએમના સસ્પેન્શનનો નિર્ણય?
તમને જણાવી દઈએ કે આ ઘટના ત્રિપુરા સ્વદેશી પ્રગતિશીલ ક્ષેત્રીય ગઠબંધનના અધ્યક્ષ પ્રદ્યોત કિશોર દેબબર્માની માલિકીવાળા લગ્ન સ્થળ પર અગરતલામાં થઈ. વાયરલ વીડિયોમાં ડીએમ શૈલેન્દ્ર વર-વધુ અને તેમના પરિવારજનોને લગ્ન સ્થળને તરત જ ખાલી કરવા માટે કહેતા દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત તેઓ પોલિસને સંબંધીઓને લગ્ન સમારંભ સ્થળમાંથી બહાર કરવાની વાત પણ કહી રહ્યા છે. આ ઉપરાંત જ્યારે ડીએમની સામે લગ્નની અનુમતિની સ્લિપ બતાવવામાં આવી તે તેમણે તેને ફાડી દીધી.
જાણો કોણ છે કમલ હાસનને હરાવનાર ભાજપના વનાતિ શ્રીનિવાસન?
ઘટનાના આગલા દિવસે તેમણે મીડિયા સામે કહ્યુ, 'ગઈ રાતે મારી કાર્યવાહીથી જે લોકોને દુઃખ થયુ છે હું તેમની માફી માંગુ છુ. પરંતુ જે કંઈ પણ મે કર્યુ તે જનતાની ભલાઈ માટે કર્યુ હતુ. મારો ઈરાદો કોઈને હેરાન કરવાનો નહોતો.'