પ્રસાર ભારતી સીઈઓ, કિસાન મોરચા સહિત ઘણા અકાઉન્ટ બેન કરવા અંગે ટ્વિટરે આપ્યો આ જવાબ
પ્રસાર ભારતી સીઈઓ, કિસાન મોરચા સહિત ઘણા અકાઉન્ટ બેન કરવા અંગે ટ્વિટરે જવાબ આપ્યો છે.
નવી દિલ્લીઃ ટ્વિટર ઈન્ડિયાએ પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખર વેંપતિ, અભિનેતા સુશાંત સિંહ, કિસાન એકતા મોરચા સહિત ઘણા લોકોના ટ્વિટર હેન્ડલ પર રોક લગાવી દીધી છે. 26 જાન્યુઆરીએ દિલ્લીમાં થયેલી હિંસા સાથે સંબંધિત ટ્વિટસ માટે આ રોક લગાવવામાં આવી છે. આ અકાઉન્ટ્સ પર ક્લિક કરવા પર લખ્યુ છે કે ભારતમાં કાનૂની માંગના જવાબમાં રોક લગાવી દેવામાં આવી છે. પ્રસાર ભારતીએ આના માટે ટવિટર પાસેથી જવાબ માંગ્યો છે. જેનાપર ટ્વિટર તરફથી જવાબ આવ્યો છે. ટ્વિટરે કહ્યુ કે જો કોઈ અધિકૃત એન્ટિટી તરફથી કહેવામાં આવે તો અમારે રોક લગાવવાની હોય છે.

ટ્વિટર તરફથી કહેવામાં આવ્યુ છે કે અમારો પ્રયાસ રહે છે કે બધા લોકોને અમે સરળતાથી સેવાઓ આપીએ પરંતુ કોઈ ઑથોરાઈઝ્ડ એકમ તરફથી અનુરોધ આવે તો અમારે એ દેશમાં એ ખાસ કન્ટેન્ટ પર રોક લગાવવી પડે છે. અભિવ્યક્તિની આઝાદી બચાવવા માટે પારદર્શિતા પણ હોવી જરૂરી છે. માટે કન્ટેન્ટ પર રોક લગાવવા માટે અમારી એક પૉલિસી છે. આના માટે રિક્વેસ્ટ મળવા પર અમે પ્રભાવિત અકાઉન્ટ હોલ્ડર્સને નોટિફાઈ કરી દઈશુ.
તમને જણાવી દઈએ કે ટ્વિટરે ઘણા ટ્વિટર અકાઉન્ટને વિધહેલ્ડ કર્યા છે એટલે કે રોક લગાવી છે. આમાં ભારતની સૌથી મોટી પલ્બિક બ્રૉડકાસ્ટીંગ સર્વિસ પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખર વેંપતિ ઉપરાંત મોહમ્મદ સલીમ, સીપીઆઈ(એમ) ના પૂર્વ રાજ્યસભા સાંસદ, પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખર, અભિનેતા સુશાંત સિંહ, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ આરતી, રાજકીય કાર્યકર્તા હંસરાજ મીણા, સંજુક્તા બાસુ, મોહમ્મદ આસિફ ખાન શામેલ છે. આ ઉપરાંત ખેડૂત એકતા મોરચા અને ધ કારવાંના ટ્વિટર હેન્ડલ બંધ કર્યા છે.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
