ટ્વીટરે ભારતના નકશા સાથે કર્યો ખિલવાડ, જમ્મુ કાશ્મીર અને લદાખને ગણાવ્યા અલગ દેશ
ભારત સરકારની તમામ ચેતવણીઓ પછી પણ, ટ્વિટર સુધરતું નથી, જેના કારણે તેની મનસ્વીતા ચાલુ છે. હવે ટ્વીટર પર ભારતના નકશા સાથે ચેડા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં તેણે લદાખ અને જમ્મુ-કાશ્મીરને અલગ દેશો તરીકે બતાવ્યું હતું.
ભારત સરકારની તમામ ચેતવણીઓ પછી પણ, ટ્વિટર સુધરતું નથી, જેના કારણે તેની મનસ્વીતા ચાલુ છે. હવે ટ્વીટર પર ભારતના નકશા સાથે ચેડા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં તેણે લદાખ અને જમ્મુ-કાશ્મીરને અલગ દેશો તરીકે બતાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકાર આ મામલે ટૂંક સમયમાં તેમને નોટિસ ફટકારશે. તેમજ તેની સામે કેટલાક ઠોસ પગલા લેવામાં આવી શકે છે.
હકીકતમાં, ટ્વીટરે એક નકશો પોસ્ટ કર્યો હતો, જેમાં ભારતને ઘેરા વાદળી રંગમાં બતાવવામાં આવ્યુ હતુ, પરંતુ તેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ નથી. આનાથી સ્પષ્ટ છે કે ટ્વીટર બંને કેન્દ્રશાસિત પ્રદેશોને અલગ માને છે. આ નકશો સામે આવતાની સાથે જ ટ્વીટર પર જ હંગામો શરૂ થયો. લોકો ટ્વીટર વિરૂદ્ધ કેન્દ્ર સરકાર પાસેથી કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. અગાઉ ગયા વર્ષે 12 નવેમ્બરના રોજ પણ તેણે લદ્દાખને દેશની બહાર બતાવ્યુ હતુ, જોકે બાદમાં માફી માંગી હતી. તેમણે એવી ખાતરી પણ આપી હતી કે ભવિષ્યમાં આવી ભૂલ ફરીથી નહીં થાય.
બીજી તરફ, આ બાબત ભારત સરકારના ધ્યાનમાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ સરકાર દ્વારા ટ્વીટરને નોટિસ ફટકારવામાં આવશે. વળી, આ વખતે સરકારે તેમની સામે કડક કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે. જો કે, આ બાબતે સંબંધિત તથ્યો હમણાં જ એકત્રિત કરવામાં આવી રહ્યો છે, જેમ કે ટ્વીટરે તેની વેબસાઇટ પર તેને ક્યારે પોસ્ટ કર્યું? આ સિવાય તેની પાછળનો હેતુ શું છે?
કેટલાંક દિવસથી ચાલી રહ્યો છે વિવાદૉ
ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે વિવાદ ઘણા દિવસોથી ચાલી રહ્યો છે. તાજેતરમાં, કેન્દ્ર સરકાર એક નવો કાયદો લાવ્યુ હતુ, જે ટ્વીટરને લાગુ કરવા કહેવામાં આવ્યું હતું, પરંતુ તે સતત ધ્યાન આપી રહ્યું છે. આ સિવાય તેમણે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, આરએસએસ ચીફ મોહન ભાગવત સહિત ઘણા લોકોની બ્લ્યુ ટિક્સને હટાવી દીધા હતા. હદ તો ત્યારે વટી ગઈ જ્યારે બે દિવસ પહેલા આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદનું ખાતું એક કલાક માટે બ્લોક કર્યું હતું. સંસદીય સમિતિ આ મામલે તેનો જવાબ માંગશે.