ગુરમેહરે મહિલા દિવસની શુભકામનાઓ આપતાં ફરી ભડક્યા લોકો
ગુરમેહર કૌરે મહિલા દિવસ નિમિત્તે શુભકામના પાઠવતાં કહ્યું હતું કે, આપણે કોઇ હીરોની રાહ નથી જોતા. આપણે જાતે હીરો બન્યા છીએ. મહિલા દિવસની શુભકામનાઓ.
દિલ્હી વિશ્વવિદ્યાલય ની રામજસ કૉલેજમાં જવાહર લાલ નેહરુ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થી ઉમર ખાલિદ અને શહલા રાશિદને એક સેમિનારમાં બોલાવવામાં આવ્યા હતા, જેના વિરોધમાં ઊભા થયેલા વિવાદ અને હોબાળા પર કરવામાં આવેલી ટિપ્પણીને કારણે ગુરમેહર કૌર સમાચારમાં આવી હતી. દિલ્હી વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થીની ગુરમેહર કૌર આ વિવાદ પર ટિપ્પણી કરવાને કારણે તે સમાચારમા આવી હતી. આજે ગુરમેહર કૌરે ટ્વીટર પર વિશ્વ મહિલા દિવસ ની શુભકામના પાઠવી હતી.

ગુરમેહર કૌરે મહિલા દિવસ નિમિત્તે શુભકામના પાઠવતાં કહ્યું હતું કે, આપણે કોઇ હીરોની રાહ નથી જોતા. આપણે જાતે હીરો બન્યા છીએ. મહિલા દિવસની શુભકામનાઓ.
We didn't wait for heroes. We became the hero.
— Gurmehar Kaur (@mehartweets) March 8, 2017
Happy Women's Day 🌸 #IWD2017 #IWD
મેહરના આ ટ્વીટ પર લોકોએ પોતાની પ્રક્રિયા આપી છે. રિતેશ સિંહે લખ્યું હતું કે, આપણી સેના આપણો હીરો છે, ના કે કોઇ ઠગ. ઉલ્લેખનીય છે કે, ગુરમેહર કૌરના પિતા ભારતીય સેનામાં કામગીરી બજાવતા હતા અને કારગિલ યુદ્ધમાં દેશની સેવા કરતા જ તેમનો જીવ ગયો હતો.

એન શર્માએ કહ્યું કે, 'તું હીરો ન બની શકે, કારણ કે તું માત્ર દેશદ્રોહીઓની હિરોઇન છે.' ગુરમેહરે એબીવીપીના વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુરમેહરે એક સોશિયલ કેમ્પેન શરૂ કર્યું હતું, જે બાદ ઘણા લોકોએ તેને દેશદ્રોહી ઠેરવી હતી.

રાહુલે લખ્યું છે, 'ઓહ! હવે અમારી પાસે બુરહાન અને ઉમર ખાલિદ જેવા હીરો છે! મહિલા દિવસની શુભકામનાઓ ગુરમેહર.' દિલ્હી યુનિવર્સિટીના એક સેમિનારમાં ઉમર ખાલિદને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેનો એબીવીપીના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. એબીવીપીના વિદ્યાર્થીઓના વિરોધને ગુરમેહરે વખોડ્યો હતો.

નયને લખ્યું છે કે, 'તમે પહેલા માણસ તો બનો, હીરો પછી બનજો. આવી મોટી હિરોઇન!' ગુરમેહરે આ મામલે પોતાનો વિરોધ નોંધાવતા તેને સોશિયલ મીડિયા પર ધિક્કારભરી અને અભદ્ર ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ડીયુની વિદ્યાર્થીની ગુરમેહર કૌરે એબીવીપી પર સવાલ કર્યો હતો, જે પછી સોશિયલ મીડિયા પર ધમકીઓ મળવા માંડી હતી. ગુરમેહરે એક તસવીર શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, મારા પિતાને પાકિસ્તાને નહીં, યુદ્ધે માર્યા છે. એ પછીથી સોશિયલ મીડિયા પર લોકોએ ગુરમેહને નિશાન બનાવી હતી. અનેક ધમકીઓ અને ટિપ્પણીઓથી કંટાળીને આખરે ગુરમેહરે આ કેમ્પેનમાંથી પોતાનું નામ ખસેડી લીધું હતું.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
