Union Budget 2022 : PM મોદીએ બીજેપી કાર્યકર્તાઓને બજેટ વિશે સમજાવ્યું, જાણો શું કહ્યું?
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારના રોજ ચાલુ વર્ષનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. જે બાદ બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતાઓ અને કાર્યકરોને બજેટ અંગે જાણકારી આપી હતી.
Union Budget 2022 : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારના રોજ ચાલુ વર્ષનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. જે બાદ બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતાઓ અને કાર્યકરોને બજેટ અંગે જાણકારી આપી હતી.
બજેટ વિશે બોલતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, બજેટમાં આત્મનિર્ભર ભારત પર ફોકસ કરવામાં આવ્યું છે. નવી તકો અને સંકલ્પોની પરિપૂર્ણતાનો આ સમય છે. આત્મનિર્ભર ભારતના પાયા પર આધુનિક ભારતનું નિર્માણ થવું જોઈએ કેમ કે તે ખૂબ જ જરૂરી છે.
આજે ભારતની અર્થવ્યવસ્થા સતત વિસ્તરી રહી છે : મોદી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મંગવારના રોજ નિર્મલાજીએ ખૂબ જ સુંદર રીતે, ખૂબ જ સારી રીતે બજેટના કેટલાક પાસાઓ અમારી સામે રજૂ કર્યા છે. બજેટભાષણમાં આખું બજેટને આવરી લેવું શક્ય નથી. કારણ કે, બજેટમાં બહુ બધા દસ્તાવેજોનો સમાવેશ થાય છે, તેમાં ઘણી વિગતો છે અને ગૃહમાં આ બધું બોલવું પણશક્ય નથી. આ બજેટમાં દેશને આધુનિકતા તરફ લઈ જવાની દિશામાં ઘણા મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે. છેલ્લા 7 વર્ષમાં જે નીતિઓ બનાવવામાં આવી હતી,જેના કારણે અગાઉની નીતિઓની ભૂલો સુધારવામાં આવી હતી, તેના કારણે આજે ભારતની અર્થવ્યવસ્થા સતત વિસ્તરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સમયે દેશ 100 વર્ષમાં સૌથી મોટી વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો છે. કોરોનાનો આ સમયગાળો વિશ્વ માટે ઘણાપડકારો લઈને આવ્યો છે. વિશ્વ એક એવા ક્રોસરોડ્સ પર સ્થિર થઈ ગયું છે, જ્યાં વળાંક નિશ્ચિત છે. જે દુનિયા આપણે હવે પછી જોવા જઈ રહ્યા છીએ તે કોરોના પહેલાજેવી નહીં હોય.
ભારતનું બજેટ ઝડપથી વધ્યું છે
આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2013-14 માં ભારતની નિકાસ 2 લાખ 85 હજાર કરોડ રૂપિયા હતી. આજે ભારતની નિકાસ 4 લાખ 70હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે.
ભાજપ સરકારના પ્રયાસોને કારણે આજે દેશના લગભગ 9 કરોડ ગ્રામીણ ઘરોમાં પાણી પહોંચવાનું શરૂ થયું છે. તેમાંથીછેલ્લા બે વર્ષમાં જલ જીવન મિશન હેઠળ 5 કરોડથી વધુ પાણીના જોડાણો આપવામાં આવ્યા છે.
બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે, આ વર્ષે લગભગ 4 કરોડગ્રામીણ પરિવારોને પાણીના જોડાણ આપવામાં આવશે.
જેપી નડ્ડાએ શું કહ્યું?
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ આ દરમિયાન કહ્યું કે, અમને વડાપ્રધાન મોદી તરફથી સમયાંતરે માર્ગદર્શન મળી રહ્યું છે.
અમૃત કાલના આવનારા 25 વર્ષમાં વડાપ્રધાનેનવા ભારતનો પાયો નાખવાના સંકલ્પને પૂરો કરવા માટે કરેલા કાર્યોને બિરદાવ્યા છે.
તે દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે. વડાપ્રધાનનું હિત હંમેશા પાર્ટીતરફ રહ્યું છે. પાર્ટીને દિશા આપવામાં અમને હંમેશા તેમનો સહકાર મળતો રહ્યો છે.
કોરોના યુગમાં, જ્યારે તમામ પક્ષો ગાયબ થઈ ગયા હતા, ત્યારે વડાપ્રધાને અમનેસેવા હી સંગઠન અભિયાન હેઠળ દિશા આપી હતી અને કોરોના સામે લડવા માટે માર્ગદર્શન આપ્યું હતું.