મોદી કેબિનેટનો મોટો નિર્ણય, 58 અપ્રાસંગિક કાયદા ખતમ કરવાના બિલને મંજૂરી
જૂના અને અપ્રાસંગિક થઈ ચૂકેલા કાયદાઓને સમાપ્ત કરવાની કવાયતમાં કેન્દ્રીય કેબિનેટે 58 કાયદાઓ ખતમ કરવાના એક બિલને મંજૂરી આપી દીધી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં જૂના અને અપ્રાસંગિક થઈ ચૂકેલા કાયદાઓને સમાપ્ત કરવાની કવાયતમાં કેન્દ્રીય કેબિનેટે 58 કાયદાઓ ખતમ કરવાના એક બિલને મંજૂરી આપી દીધી. કેન્દ્રની એનડીએ સરકાર પોતાના બીજા કાર્યકાળ દરમિયાન અત્યાર સુધી અનાવશ્યક થઈ ચૂકેલા 1824 જૂના કાયદાઓને ખતમ કરવા તરફ આગળ વધ્યા છે. સુધારો અને સુધારો બિલ, 2019ને સંસદની મંજૂરી મળ્યા બાદ 137 કાયદા જે સરકાર અનુસાર પોતાની પ્રાસંગિકતા ગુમાવી ચૂક્યા છે તેમને આગલા ભાગમાં ખતમ કરી દેવામાં આવશે.

58 કાયદાઓને ખતમ કરવામાં આવશે
કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ જે 58 કાયદાઓને ખતમ કરવામાં આવશે તેની યાદી તત્કાળ ઉપલબ્ધ નથી થઈ શકી. જો કે સરકાર સાથે જોડાયેલા સૂત્રો મુજબ આમાં મોટાભાગે એવા કાયદા છે જેમને મુખ્ય કાયદાઓમાં સુધારા કરવા માટે લાગુ કરવામાં આવ્યા હતા. હાલમાં આ કાયદા પોતાની પ્રાસંગિકતા ગુમાવી ચૂક્યા છે. સરકારના એક અધિકારીએ કહ્યુ, ‘એક વાર જ્યારે મુખ્ય કાયદામાં સુધારો કરી દેવામાં આવશે તો આ સુધારા કાયદાએ પ્રાસંગિકતા ગુમાવી દીધી છે. સ્વતંત્ર કાયદા તરીકે કાયદાના પુસ્તકોમાં તેની ઉપસ્થિતિ અનાવશ્યક છે અને તે માત્ર વ્યવસ્થા રોકી રહ્યા છે.'

મોદી સરકાર અત્યાર સુધી 1824 જૂના કાયદા ખતમ કરવા તરફ આગળ વધી
2014માં પહેલી વાર મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ પુરાતન કાયદાઓને ખતમ કરવા માટે બે સભ્યોની પેનલની સ્થાપના કરી હતી અને પેનલે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે આ કાયદાઓને ખતમ કરવાની ભલામણ કરતા પહેલા ચર્ચા પણ કરી હતી. 1950થી 2001 વચ્ચે સોથી વધુ અધિનિયમ ખતમ કરવામાં આવ્યા હતા. એક સમયે 100 આવા કાયદાઓ એક વારમાં ખતમ કરવામાં આવ્યા હતા.

મેડીકલ પ્રવેશ પરીક્ષા માટે હવે માત્ર NEETની પરીક્ષા થશે
કેન્દ્રીય કેબિનેટે આ ઉપરાંત દેવાળિયાપણા પરના કાયદા ઈન્સૉલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડમાં સાત સુધારાને પણ મંજૂરી આપી દીધી છે. આ સુધારા બાદ કંપનીઓની દેવાળિયાપણા પ્રક્રિયા ત્વરિત પૂર થવાના અણસાર છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે કેબિનેટે મેડીકલ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા છાત્રો માટે હવે એક પરીક્ષા થશે. કેબિનેટે રાષ્ટ્રીય ચિકિત્સા પંચની સ્થાપનાને મંજૂરી આપી દીધી. તેમણે કહ્યુ કે વર્તમાન સમયમાં દેશની વિવિધ મેડીકલ કોલેજોમાં અલગ અલગ પરીક્ષા આયોજિત કરવામાં આવે છે. હવેથી આ બધાની જગ્યાએ માત્ર નીટની પરીક્ષા હશે. આના આધારે છાત્રોને મેડીકલ કોલેડજોમાં એડમિશન મળશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
