8 કલાકની કસ્ટડી બાદ નારાયણ રાણેને મળ્યા જામીન, ઉદ્ધવ સરકારે કહ્યુ- કાયદાથી પરે કોઈ નથી
મહારાષ્ટ્રાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે પોતાના નિવેદન બાદ મંગળવારે ધરપકડ કરાયેલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને છેવટે મોડી રાતે જામીન મળી ગયા.
મુંબઈઃ મહારાષ્ટ્રાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે પોતાના નિવેદન બાદ મંગળવારે ધરપકડ કરાયેલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને છેવટે મોડી રાતે જામીન મળી ગયા. રાયગઢ જિલ્લાના મહાડ મેજિસ્ટ્રેટ કોર્ટે નારાયણ રાણેને ઉદ્ધવ ઠાકરે સામે આપેલા પોતાના નિવેદન મામલે જામીન આપી દીધી. વાસ્તવમાં પોલિસે મંગળવારે પહેલા તેમની ધરપકડ કરી હતી ત્યારબાદ મહાડ કોર્ટમાં હાજર કર્યા જ્યાંથી તેમને મોટી રાહત મળી છે.

આ પહેલા મેજિસ્ટ્રેટ અદાલતે રાણેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. ત્યારબાદ રાણેના વકીલને તરત તેમની જામીન માટે અરજી કરી જેના પર સુનાવણી કરીને કોર્ટે તેમને જામીન આપ્યા. માહિતી મુજબ મહાડ મેજિસ્ટ્રેટ કોર્ટે કેન્દ્રીય મંત્રીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે તેમની કથિત નિવેદન મામલે 15,000 રૂપિયાના જાત મુચરકા પર જામીન આપ્યા છે. વળી, નારાયણ રાણેના વકીલ સંગ્રામ દેસાઈએ કહ્યુ કે નારાયણ રાણેને જામીન આપતી વખતે અદાલતે અમુક શરતો રાખી છે જેવી કે 31 ઓગસ્ટ અને 13 સપ્ટેમ્બરે પૂછપરછ માટે પોલિસ સ્ટેશનમાં હાજર રહેશે અને ભવિષ્યમાં આ પ્રકારનો ગુનો નહિ કરે.
જામીન બાદલ ભાજપ નેતા પ્રવીણ દરેકરે જણાવ્યુ કે પરમ દિવસથી જન આશીર્વાદ યાત્રા શરુ કરીશુ. માહિતી મુજબ પોલિસે મહાડ કોર્ટમાંથી 7 દિવસ માટે રાણેના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ તેમને જામીન આપ્યા. કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમની પત્ની નીલિમા અને પુત્ર ધારાસભ્ય નિતેશ રાણે પણ હાજર હતા. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રી રાણે મહારાષ્ટ્રમાં જન આશીર્વાદ યાત્રા પર છે. એવામાં મહાડમાં પત્રકારો સાથે વાત કરીને તેમણે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સામે વિવાદિત નિવેદન આપ્યુ હતુ ત્યારબાદ આખો દિવસ મંગળવારે ભાજપ અને શિવસેનાના કાર્યકર્તા વચ્ચે પત્થરબાજી અને મારામારીની ઘટના બની હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
