MSP મુદ્દે સંયુક્ત કિસાન મોર્ચાએ બાયો ચડાવી, કમિટી માટે નામ નહીં મોકલે, સરકારને પહેલા આ કરવા કહ્યું!
સંયુક્ત કિસાન મોરચાએ સરકારના લઘુત્તમ સમર્થન મૂલ્ય (MSP) પર સૂચિત સમિતિના નામાંકિત માટે નામ મોકલવાનો ઇનકાર કર્યો છે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું છે કે સરકાર યોગ્ય વર્તન કરી રહી નથી.
નવી દિલ્હી : સંયુક્ત કિસાન મોરચાએ સરકારના લઘુત્તમ સમર્થન મૂલ્ય (MSP) પર સૂચિત સમિતિના નામાંકિત માટે નામ મોકલવાનો ઇનકાર કર્યો છે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું છે કે સરકાર યોગ્ય વર્તન કરી રહી નથી. જ્યાં સુધી કમિટીની માહિતી અને શરતોની જાણ ન થાય ત્યાં સુધી અમે નામ જાહેર કરીશું નહીં. એટલે કે સંયુક્ત મોરચાએ સરકાર પાસે વધુ સ્પષ્ટતા માંગી છે.

એમએસપી સમિતિના નામાંકિત લોકો માટે નામો મોકલવાનો ઇનકાર કરતા સંયુક્ત કિસાન મોરચાએ આરોપ લગાવ્યો કે બે વાર પત્રો મોકલ્યા પછી પણ સરકાર તેના પ્રશ્નોના જવાબ આપી રહી નથી. મોરચાનું કહેવું છે કે, અમે સરકાર પાસે સમિતિના અધ્યક્ષ વિશે માહિતી માગી હતી, સમિતિની ટર્મ ઑફ રેફરન્સ શું હશે, તે શું કરશે, તેમાં અન્ય સભ્યો કોણ હશે? સમિતિની ભલામણો બંધનકર્તા રહેશે કે નહીં તે પણ પૂછવામાં આવ્યું હતું. પરંતુ સરકારે હજી સુધી અમને આ બધું કહ્યું નથી.
સંયુક્ત કિસાન મોરચા વતી જણાવવામાં આવ્યું હતું કે 22 માર્ચે કૃષિ સચિવ સંજય અગ્રવાલનો એસકેએમ કોઓર્ડિનેશન કમિટીના સભ્ય યુધવીર સિંહને ફોન આવ્યો હતો, જેમાં તેમણે સમિતિની રચના માટે બે-ત્રણ નામ માંગવામાં આવ્યા હતા. જો કે આ વાતચીતમાંથી સમિતિને લગતા અનેક સવાલોના જવાબો સ્પષ્ટ થઈ શક્યા નથી. આ પછી સરકારને સંયુક્ત મોરચા વતી 24 માર્ચે એક ઈમેલ મોકલીને સ્થિતિ સ્પષ્ટ કરવા કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ 30 માર્ચે રિમાઇન્ડર કરવામાં આવ્યું હતું. ત્યારપછી પણ સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. જેથી મોરચાએ સખ્તાઈ અપનાવી છે.












Click it and Unblock the Notifications
