ઉન્નાવ રેપ આરોપી કુલદીપ સેંગર બોલ્યો, ભગવાનને પ્રાર્થના કરો તે ઠીક થાય
ઉન્નાવ ગેંગરેપ કેસના આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગર અને શશી સિંહને યુપીના સીતાપુર જિલ્લા જેલમાંથી રવિવારે સાંજે પેશી માટે દિલ્હી લઈ ગયા હતા.
ઉન્નાવ ગેંગરેપ કેસના આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગર અને શશી સિંહને યુપીના સીતાપુર જિલ્લા જેલમાંથી રવિવારે સાંજે પેશી માટે દિલ્હી લઈ ગયા હતા. બંને આરોપીઓને સોમવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં હાજર કરવામાં આવશે. સીતાપુર જેલની બહાર પોલીસ વાનમાંથી કુલદીપ સેંગરે પીડિતા માટે કહ્યું કે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે સ્વસ્થ થઇ જાય. આ સાથે, તેમણે પોતાની ઉપર ષડયંત્રનો આરોપ લગાવ્યો.
આ પણ વાંચો: ઉન્નાવ કેસ: આરોપી કુલદીપ સિંહ સેંગરને તીસ હજારી કોર્ટ લાવવામાં આવ્યો

પીડિતા જલ્દી સ્વસ્થ થઈ જાય
સીતાપુરથી પોલીસ વાનમાં દિલ્હી લઇ જતી વખતે મીડિયા સાથે વાત કરતાં આરોપી ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગરે કહ્યું કે, હું ભાજપનો કાર્યકર હતો અને હું જે પણ પાર્ટીમાં રહું છું તેમાં પ્રામાણિકતાથી રહું છું. મને કોર્ટ, સીબીઆઈ પર વિશ્વાસ છે. આ રાજકીય ષડયંત્ર છે. મારી ભગવાનને કામના છે કે તે (ઉન્નાવ રેપ પીડિતા અને તેનો વકીલ) સ્વસ્થ થઇ જાય. મને ભગવાન, હાઇકોર્ટ અને સીબીઆઈમાં વિશ્વાસ છે. મને તમારા બધા પર (મીડિયા) પણ વિશ્વાસ છે. તમે બધા સાચી વસ્તુઓ દેખાડશો.

સેંગરની આવતીકાલે તીસ હજારી કોર્ટમાં પેશી
સીબીઆઈ સોમવારે ઉન્નાવ રેપના આરોપી ભાજપમાંથી બરખાસ્ત કરવામાં આવેલા ધારાસભ્ય કુલદીપ સેંગર અને તેના સાથી શશી સિંહ સોમવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં હાજર કરશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉન્નાવ કેસ સાથે સંકળાયેલા પાંચ કેસોમાંથી ચાર કેસ યુપીથી દિલ્હી ટ્રાન્સફર થયા છે. શનિવારે તીસ હજારીમાં જિલ્લા ન્યાયાધીશ ધર્મેશ શર્માની અદાલતની નોંધ લેતા સેંગર અને તેના સાથીદારની રજૂઆત માટે પ્રોડક્શન વોરંટ જારી કર્યું હતું. સીબીઆઈ કોર્ટમાં બંને આરોપીઓની રિમાન્ડ માંગી શકે છે.
|
પીડિતાની હાલત હજુ પણ ગંભીર
કેસની સુનાવણી ટ્રાન્સફર થતાં, કુલદીપ સિંહ સેંગર અને તેના સાથી શશી સિંહની જેલ ટ્રાન્સફરની સંપૂર્ણ પ્રક્રિયા પણ કોર્ટની સૂચના પર કરવામાં આવશે. મળેલી માહિતી મુજબ બંને આરોપીઓને દિલ્હીની તિહાડ જેલમાં મોકલી શકાય છે. કારણ કે મંગળવારે બીજા એક કેસમાં પણ કુલદીપ સેંગરને કોર્ટમાં હાજર રહેવું પડશે. આ સાથે જ કોર્ટે ટ્રાયલ કોર્ટને કેસની સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. અકસ્માત બાદ પીડિતા અને તેના વકીલને 28 જુલાઈએ લખનઉની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ જણાવ્યું છે કે તેને ન્યુમોનિયા હોવાથી તેની હાલત નાજુક છે. તેના વકીલને વેન્ટિલેટર સપોર્ટથી હટાવવામાં આવ્યા છે, પરંતુ તે હજી પણ જોખમની બહાર નથી.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
