ઉન્નાવ રેપ કેસ: પીડિતા અને તેના પરિવારને ઘર અને સુરક્ષા પૂરી પાડવા કોર્ટનો CBIને આદેશ
ઉન્નાવ રેપ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે પીડિતા અને તેના પરિવારને જોખમ હોવાના ભયથી સીબીઆઈને યોગ્ય સુરક્ષા અને સુરક્ષીત મકાન આપવાનો આદેશ આપ્યો છે.
ઉન્નાવ રેપ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે પીડિતા અને તેના પરિવારને જોખમ હોવાના ભયથી સીબીઆઈને યોગ્ય સુરક્ષા અને સુરક્ષીત મકાન આપવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, દિલ્હી અદાલતે વર્ષ 2017માં ઉન્નાવ રેપ કેસમાં દોષિત ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને આજીવન કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત 25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
કોર્ટે 16 ડિસેમ્બરના રોજ દોષિત ઠેરવ્યા
તમને જણાવી દઈએ કે, 16 ડિસેમ્બરે દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરને પોક્સોની કલમ 376 અને કલમ 6 હેઠળ દોષી ઠેરવ્યો હતો. 17 ડિસેમ્બરે સજા પર ચર્ચા થઈ હતી. આ પછી, કોર્ટે કુલદીપસિંહ સેંગરને આગામી સુનાવણી પહેલાં તેની આવક અને સંપત્તિની સંપૂર્ણ વિગતો આપવા આદેશ આપ્યો હતો.
સીબીઆઈએ વધુમાં વધુ સજાની માંગ કરી
શુક્રવારે દિલ્હી કોર્ટમાં ચર્ચા પૂર્ણ થયા બાદ ન્યાયાધીશે ચુકાદો બપોરે 2 વાગ્યા સુધી અનામત રાખ્યો હતો. સેંગરના વકીલે ફરી એકવાર ન્યાયાધીશને ઓછામાં ઓછી સજા સંભળાવવાની વિનંતી કરી હતી, એમ કહ્યું હતું કે તેના ક્લાયન્ટને બે પુત્રી અને એક પત્ની છે, તે બધાની જવાબદારી તેમની છે, તેથી સજા સંભળાવતી વખતે આ સંભાળ રાખો.
2017માં સગીર પર બળાત્કાર ગુજાર્યો હતો
યુપીની બાંગારામઉ વિધાનસભા બેઠકના ચાર વખતના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરે સગીરનું અપહરણ કર્યા બાદ 2017 માં બળાત્કાર ગુજાર્યો હતો. સેંગરને ઓગસ્ટ 2019 માં ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. કોર્ટે 9 ઓગસ્ટે સેંગર પર ગુનાહિત કાવતરા, અપહરણ, બળાત્કાર અને પોક્સો કાયદા સંબંધિત કલમો હેઠળ આરોપો ઘડ્યા હતા.