For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાદિત નિવેદનો વચ્ચે તાજમહેલ પહોંચ્યા યોગી

આગ્રામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજમહેલની મુલાકાત લીધી. સાથે જ તેને ભારતીય મજૂરા દ્વારા ભારે જહેમતથી બનાવવામાં આવેલી ઇમારત કહી. વધુ વાંચો અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

ભાજપાના નેતા સંગીત સોમ અને વિનય કટિયારના વિવાદિત નિવેદનો વચ્ચે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરુવારે આગ્રાના તાજમહેલની મુલાકાતે પહોંચ્યા હતા. સવારે 9 વાગે તાજમહેલ પહોંચેલા યોગી અહીં 30 મિનિટ જેવા રોકાયા હતા. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં ભાજપના નેતાઓ તરફથી તાજમહેલ મામલે અનેક વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેની પર સીએમ યોગીએ તાજમહેલને ભારતીય મજૂરા દ્વારા ભારે જહેમતથી બનાવવામાં આવેલી ઇમારત કહી વિવાદોને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આજે સીએમ યોગી આગ્રામાં 8 કલાક જેવા રોકાશે અને ત્યાંથી પછી લખનઉ જશે.

Agra

ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ ભાજપના તેવા પહેલા મુખ્યમંત્રી છે જેમણે તાજમહેલની મુલાકાત લીધી હોય. આ મુલાકાતને રાજકીય રીતે એટલે પણ મહત્વની માનવામાં આવે છે કારણ કે ગત દિવસોમાં ભાજપના જ કેટલાક નેતાઓએ આ પર ટિપ્પણી કરી હતી. વિનય કટિયારે તેમ પણ કહ્યું હતું કે તાજમહેલ શિવ મંદિર પર બનાવવામાં આવ્યું છે. જે પણ આજમ ખાન પણ કટાક્ષ કર્યો હતો. અને આ કારણે વિવાદ વધ્યો હતો.

English summary
UP CM Yogi Adityanath Taj Mahal visit in Agra.Read More Here..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X