Mathura: હેમા માલિનીએ કર્યુ સીએમ યોગીનુ સ્વાગત, માફિયાઓ અને વિપક્ષની કાઢી ઝાટકણી
UP Nagarpalika Election 2023: યુપી નગરપાલિકા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો પોતપોતાના સમીકરણો ગોઠવવામાં વ્યસ્ત છે. સત્તાધારી ભાજપ સહિત અન્ય પક્ષો પોતપોતાના મેયર અને નગરપાલિકા અને પંચાયત પ્રમુખના ઉમેદવારોને જીતાડવાના પ્રયાસો કરી રહ્યા છે.
રાજ્યના વડા યોગી આદિત્યનાથ પણ હાલમાં સમગ્ર યુપીના પ્રવાસે છે. આ ક્રમમાં ગુરુવારે સીએમ યોગી આદિત્યનાથ જનસભાને સંબોધવા માટે મથુરા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં ઑપરેશન કાવેરીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે સીએમ યોગી આદિત્યનાથ મથુરાની શેઠ બીએન પોદ્દાર ઈન્ટર કોલેજ પહોંચ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા પહોંચ્યા હતા. સીએમ પહોંચતા જ સાંસદ હેમા માલિનીએ તેમનું સ્વાગત કર્યુ હતુ. તેમણે કહ્યુ કે ભગવાન કૃષ્ણની ભૂમિમાં તમારુ સ્વાગત છે.
થોડા સમય પછી સીએમ યોગીએ પોતાનુ સંબોધન શરૂ કર્યુ અને કહ્યુ કે આજે ભારત બદલાઈ ગયુ છે. ભારત ઝડપી વિકાસના માર્ગ પર છે. આજે ભારતની વૈશ્વિક ઓળખ બની ગઈ છે. સીએમએ તેમના સંબોધનમાં કહ્યું કે 'આજે વિશ્વ ભારતની તાકાતને માની રહી છે. વિશ્વમાં જ્યાં પણ કોઈ સમસ્યા હોય છે, ત્યારે વિશ્વના નેતાઓ ભારત તરફ જુએ છે.'
તેમણે કહ્યુ કે જ્યારે પણ ભારતીયોની વાત આવે છે ત્યારે પીએમ તરત જ નિર્ણય લે છે. ભારતે વિલંબ કર્યા વગર ઑપરેશન કાવેરી શરૂ કર્યુ અને ભારતીયોને સુરક્ષિત પરત લાવવા માટે કાર્યવાહી શરૂ કરી.
આ પછી રાજ્યની કાયદો અને વ્યવસ્થા તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે પહેલા રાજ્યમાં એવી સ્થિતિ હતી કે કોઈપણ ગુંડા માફિયા કોઈની પણ ઝુગ્ગી-ઝૂંપડી પર કબજો કરી લેતા હતા. આજે રાજ્યમાં ગુંડા-માફિયાઓની હાલત એવી છે કે તેઓ ગળામાં તખ્તી લટકાવીને ફરે છે. આજે દરેક ગરીબોને રૂ.2.5 લાખ આપીને ઘર બનાવવામાં આવી રહ્યા છે.
જ્યારે મથુરા-વૃંદાવનની વાત આવી ત્યારે તેમણે કહ્યું કે 'પહેલાં જે બનતુ હતુ તેનાથી લોકો ચિંતિત રહેતા હતા. આજે અમારી પાસે આ સ્થળના વિકાસ માટે એક એક્શન પ્લાન છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સાંસદ હેમા માલિનીની દેખરેખ હેઠળ ખૂબ જ ટૂંક સમયમાં તેને ધરાતલ પર લાવવામાં આવશે.
આ સાથે જ તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે અગાઉની સરકારોમાં અરાજક વ્યવસ્થા હતી, ભ્રષ્ટ વ્યવસ્થા હતી. તેમને સાફ કરવામાં થોડો સમય લાગે છે. તે જ સફાઈ માટે સૌથી યોગ્ય ઉમેદવાર વિનોદ આર્યને તમારી સેવા માટે તમારી વચ્ચે ઉતારવામાં આવ્યા છે.
સીએમ યોગીએ કહ્યું કે ટ્રિપલ એન્જિન સરકાર માટે બ્રજ ભૂમિને નમન છે. મથુરામાં જવાહર હાગની ઘટના બધાને યાદ છે. જે એક સમયે અરાજકતાનો અડ્ડો હતો હવે ત્યાં સુંદર પાર્ક છે. એક સમયે મથુરા ગોકુલમાં દૂધની નદીઓ વહેતી હતી. અગાઉની સરકારોએ અહીં માંસ અને દારૂનુ વેચાણ કર્યુ હતુ. હવે તેમને ધાર્મિક સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અહીં દૂધ અને દહીં વેચાય છે. તેમણે સ્પષ્ટ કર્યુ કે મથુરા-યમુનાને તેની જૂની ભવ્યતામાં પાછી લાવવાની છે. બ્રજમાં 32,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
