Uttar Pradesh Assembly 2022: 'હવે ત્યાં પણ બધા આપણા જ છે', શશિ થરૂરે માર્યો ટોન્ટ
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની વચ્ચે, કોંગ્રેસને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યમાં પાર્ટીના મજબૂત નેતા આરપીએન સિંહ મંગળવારના રોજ ભાજપમાં જોડાયા હતા.
Uttar Pradesh Assembly Election 2022 : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની વચ્ચે, કોંગ્રેસને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યમાં પાર્ટીના મજબૂત નેતા આરપીએન સિંહ મંગળવારના રોજ ભાજપમાં જોડાયા હતા.
કોંગ્રેસ પાર્ટી માટે આ એક મોટો આંચકો પણ છે, કારણ કે તાજેતરની ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે બહાર પાડવામાં આવેલી કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં આરપીએન સિંહનું નામ પણ શામેલ હતું. જ્યારે કોંગ્રેસે આરપીએન સિંહના ભાજપમાં જોડાવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કાયર આ લડાઈ લડી શકતા નથી, કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા શશિ થરૂરે પણ ટ્વિટ કરીને તેમની મજાક ઉડાવી હતી.
'હવે ત્યાં પણ બધું અમારા જેવું છે'
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આરપીએન સિંહના બીજેપીમાં જોડાવા પર ટ્વીટ કર્યું અને લખ્યું કે, 'ઘર છોડીને જઈ રહ્યા છે... કદાચ તેમના કોઈ બીજા સપના છે, હવે ત્યાંપણ દરેક જણ પોતાના જેવા છે.. (કોંગ્રેસ સંગ બીજેપી!).
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના મોટા નેતાઓમાંથી એક જિતિન પ્રસાદ પણભાજપમાં જોડાયા હતા.
'કાયરો આ યુદ્ધ નથી લડી શકતા'
મંગળવારના રોજ આરપીએન સિંહે ટ્વિટર પર જાહેર કરેલા પોતાના રાજીનામામાં લખ્યું, 'હું કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી તાત્કાલિક રાજીનામું આપી રહ્યો છું.
કોંગ્રેસે મને દેશની સેવા કરવાની જે તક આપી છે, તેના માટે હું પાર્ટી અને પાર્ટીના લોકોનો આભાર માનું છું. આજે હું મારી રાજકીય સફરનો એક નવો અધ્યાય શરૂકરવા જઈ રહ્યો છું.
બીજી તરફ આરપીએન સિંહના ભાજપમાં જોડાવા પર કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, તેમની પાર્ટી જે લડાઈ લડી રહી છે, તે લડવું ડરપોકલોકોની શક્તિમાં નથી.
'ઝારખંડમાં સરકારને તોડવાની કોશિશ કરી રહ્યા હતા આરપીએન સિંહ'
નોંધનીય છે કે, આરપીએન સિંહ કોંગ્રેસના ઝારખંડ રાજ્ય પ્રભારી હતા અને ઉત્તર પ્રદેશ ચૂંટણીના સ્ટાર પ્રચારકોની યાદીમાં તેમનું નામ પણ શામેલ હતું.
જો કે,આરપીએન સિંહ ભાજપમાં જોડાયા બાદ ઝારખંડ કોંગ્રેસના નેતાઓએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્ય અંબા પ્રસાદે મંગળવારના રોજઆરોપ લગાવ્યો હતો કે, આરપીએન સિંહ એક વર્ષથી વધુ સમયથી ભાજપ સાથે સાંઠગાંઠ કરીને ઝારખંડમાં કોંગ્રેસ-જેએમએમ સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરી રહ્યાછે.
પાર્ટી નેતૃત્વને પણ આ અંગે સતત ચેતવણી આપવામાં આવી હતી. તેમના ભાજપમાં જોડાવાથી ઝારખંડનો દરેક સાચો કોંગ્રેસી ખુશ છે.