Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સપાએ પાળ્યું વચન, સંજુબાબાના કેસો પાછા ખેંચ્યા

sanjay-dutt
લખનૌ, 30 ઑક્ટોબરઃ વર્ષો કોંગ્રેસની સેવા કર્યા પછી પણ કોંગ્રેસે સુનીલ દત્ત માટે કંઇ કર્યું નહોતું, જેના કારણે તેમને પાર્ટી છોડવી પડી, પરંતુ ઉત્તર પ્રદેશની સપા સરકારે તેમના પુત્ર અભિનેતા સંજય દત્ત સાથેની મિત્રતા નિભાવી છે. સપાની સરકાર બનાવી સાથે જ અખિલેશ યાદવ સરકારે સંજય દત્ત સામેના તમામ કસો પરત ખેંચવાનો આદેશ આપીને તેને મોટી રાહત આપી છે. નોંધનીય છે કે સંજય દત્ત પર તમામ કેસો માયાવતી સરકારના કાર્યકાળ દરમિયાન 2009 લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન દાખલ કરવામાં આવ્યા હતા.

વર્ષ 2009માં લોકસભા ચૂંટણી સમયે બારબંકી, મઉ અને પ્રતાભગઢ જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન સંજય દત્તે માયાવતીને લઇને એક અમર્યાદિત ટિપ્પણી કરી હતી. તે સમયે સંજય દત્ત સમાજવાદી પાર્ટીના મહાસચિવના પદ પર હતા. સંજય દત્ત દ્વારા માયાવતી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને લઇને પ્રદેશમાં હંગામો મચી હયો હતો.

માયાવતીના નિર્દેશ પર સંજય દત્ત વિરુદ્ધ વર્ષ 2009ના એપ્રિલ મહિનામાં આઇપીસીની ઘણી કલમો હેઠ એફઆઇએર દાખલ કરવામાં આવી હતી. મામલો એટલો ગંભીર થઇ ગયો કે સંજય દત્તને ચૂંટણી પ્રચારમાંથી દૂર કરવામાં આવ્યા હતા.
સપાએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ મામલાનો નિવેડો આવ્યો નહીં, ત્યારબાદ તે કોર્ટના શરણમાં ગયા પરંતુ ત્યાં પણ તેમને રાહત મળી નહીં. આ પ્રકરણ પર કોર્ટે એવો નિર્ણય કર્યો કે સંજય દત્તને ચૂંટણી પ્રચારમાંથી દૂર કરવામાં આવે. સપાએ સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કર્યો અને સંજય દત્તને ચૂંટણી પ્રચારમાંથી દૂર કર્યા.

સપાએ તે વખતે બસપાને ચેતવણી આપી હતી કે જો રાજ્યમાં તેમની સરકાર આવશે તો તે સંજય દત્ત પર લાગેલા તમામ કેસ પાછાં ખેંચી લેશે. પ્રદેશમાં સપાની સરકાર આવી ગઇ, ત્યારબાદ તેને તેનું વચન યાદ અવ્યું અને સરકારે સંજય દત્ત પર લાગેલા તમામ કેસ પાછા ખેંચી લેવાનો આદેશ આપ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X