For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 દિવસમાં ત્રીજા ભાજપી નેતાની હત્યા

|
Google Oneindia Gujarati News

બરેલી, 15 જૂનઃ લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ અને તેમાં સમાજવાદી પાર્ટીના કારમા પરાજય બાદ ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતાઓની હત્યાઓ જાણે કે સામાન્ય વાત બની રહી છે. ભાજપન નેતાઓની હત્યા પર મુખ્યમંત્રી અખિલેશ યાદવ માત્ર કાર્યવાહી કરવાની વાતો જ કરી રહ્યાં છે, પરંતુ કાર્યવાહી થઇ રહી હોવાના કોઇ અણસાર જોવા મળી રહ્યાં નથી.

rakesh-kumar-rastogi
ઉત્તરાખંડના કિચ્ચાના રહેવાસી રાકેશ કુમાર રસ્તોગી શુક્રવાર સાંજથી લાપતા હતા. તેમનો મૃતદેહ મળ્યો છે, જેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. મામલાની તપાસમાં ઉત્તરાખંડ પોલીસની મદદ લેવામાં આવી રહી છે. આશા છેકે ટૂંક સમયમાં હત્યારાઓની ધરપકડ કરવામાં આવશે. બીજી તરફ યુપીના ફતેહપુરમાં ભાજપના સાંસદ સાધ્વી નિરંજન જ્યોતિ પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે.

આ મામલે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યા અનુસાર ફતેહપુર સદર કોતવાલી ક્ષેત્રની આવાસ-વિકાસ કોલોનીમાં સાધ્વીને નિશાન બનાવીને તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી, પરંતુ તેમને લાગી નથી. આ પહેલા યુપીના ગ્રેટર નોએડા નજીક આવેલા દાદરી કસ્બામાં ભાજપના નેતા વિજય પંડિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

પોલીસ તેને અંગત અદાવત ગણાવી રહ્યાં છે. ત્યારબાદ મુઝફ્ફરનગર વિસ્તારમાં અજ્ઞાત હુમલાખોરોએ ભાજપ નેતા ઓમવીરની ગોળી મારીને હત્યા કરી દીધી. ભાજપ નેતા પોતાના ગામ નંગલા ખેડાથી મીરાપુર જઇ રહ્યાં હતા ત્યારે અજ્ઞાત હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ કરી દીધું.

English summary
A Bharatiya Janata Party (BJP) leader from Uttarakhand, Rakesh Kumar Rastogi, was found dead with his hands tied in Bareilly district of Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X