ઉત્તરાખંડઃ IIT રૂડકીમાં કોરોના વાયરસ વિસ્ફોટ, 90 છાત્ર મળ્યા કોરોના સંક્રમિત
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલૉજી(આઈઆઈટી) રૂડકીના 90 છાત્ર કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે.
રૂડકીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર બેકાબુ થતી દેખાઈ રહી છે. ઉત્તરાખંડમાં સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલૉજી(આઈઆઈટી) રૂડકીના 90 છાત્ર કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. ત્યારબાદ આઈઆઈટી રૂડકીની પાંચ હોસ્ટેલને સીલ કરી દેવામાં આવી છે અને ત્યાં કેમ્પસને કંટેનમેન્ટ ઝોન ઘોષિત કરી દેવામાં આવ્યુ છે. આ અંગેની સૂચના આઈઆઈટી રૂડકી મીડિયા સેલ પ્રભારી સોનિકા શ્રીવાસ્તવે આપી છે. સોનિકા શ્રીવાસ્તવે જણાવ્યુ છે કે કેમ્પસની એક હોસ્ટેલને કોવિડ-19 કેર સેન્ટરમાં ફેરવી દેવામાં આવી છે. એ હોસ્ટેલમાં બધા સંક્રમિત છાત્રોને ખુદને આઈસોલેટ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

સોનિકાએ વધુમાં જણાવ્યુ કે સૌથી પહેલા મંગળવારે 60 છાત્રોના રિપોર્ટ કોવિડ-19 પૉઝિટીવ આવ્યા હતા પછી બુધવારે વધુ 10 છાત્રો સંક્રમિત જોવા મળ્યા છે અને ગુરુવારે વધુ 10 છાત્રોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે.સ્થાનિક મીડિયા સાથે વાત કરીને સોનિકા શ્રીવાસ્તવે જણાવ્યુ કે, 'આઈઆઈટીમાં 90 છાત્રો કોરોના સંક્રમિત મળ્યા બાદ કેમ્પસની 5 હોસ્ટેલોને સીલ કરી દેવામાં આવી છે.' તેમણે જણાવ્યુ કે સંસ્થામાં લગભગ 3 હજાર છાત્રો છે જેમાંથી 1200 છાત્ર સીલ કરેલી 5 હોસ્ટેલમાં રહે છે.
ગંગા ભવન હોસ્ટેલને કોવિડ-19 કેર સેન્ટરમાં ફેરવવામાં આવી છે. જ્યાં 90 કોરોના સંક્રમિત છાત્રોનો ઈલાજ ચાલી રહ્યો છે. તેમને ત્યાં બધી મેડિકલ સુવિધા આપવામાં આવી રહી છે. વળી, સંસ્થાની એક અન્ય ગેસ્ટ હાઉસને ક્વૉરંટાઈન સેન્ટર બનાવી દેવામાં આવી છે. હરિદ્વારના મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ. એસકે ઝાની માનીએ તો કોરોના થયા બાદ લગભગ આઈઆઈટીના 2 હજાર છાત્રો અને કર્મચારીઓના આરટી-પીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 90 છાત્રો સંક્રમિત જોવા મળ્યા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
