બોલીવૂડ અભિનેત્રી જીન્નત અમાર સાથે થઇ છેડછાડ, નોંધાયો કેસ
જાણીતી અભિનેત્રીને અશ્લીલ મેસેજ અને ધમકી આપનાર સરફરાજ નામના યુવક વિરુદ્ધ, અભિનેત્રીએ જૂહુ પોલીસમાં નોંધાવી ફરિયાદ. જાણો વધુ અહીં.
જૂના સમયની હોટ અભિનેત્રી ગણાતી જીન્નત અમાને સરફરાજ ઉર્ફ અમન ખન્ના નામના યુવક પર દુર્વ્યવહાર અને ધમકાવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં જીન્નતે મુંબઇની જૂહુ પોલીસ સ્ટેશનમાં સરફરાજ વિરુદ્ધ એફઆઇઆર પણ દાખલ કરાવી છે. નોંધનીય છે કે સરફરાજ ઉર્ફ અમર ખન્ના ફિલ્મ મેકર હતો પણ હવે તે રિયલ એસ્ટેટનો વેપાર કરે છે. બોલીવૂડની આ અભિનેત્રીનો આરોપ છે કે સરફરાજે તેના ઘર પરિસરમાં આવીને સિક્યોરીટી ગાર્ડ સાથે દૂરવ્યવહાર કર્યો અને મારપીટ કરી. અને જ્યારે જન્નતે તેનો વિરોધ કર્યો તો તેને પણ ધમકી આપી. આ ધમકી પછી તે પાછલા કેટલાક દિવસોથી અભિનેત્રીને વોટ્સઅપ પર અશ્લીલ મેસેજ મોકલી રહ્યો છે.

જીન્નતની ફરિયાદ પર સરફરાજ વિરુદ્ધ પોલીસે 354, 509 આઇટી એક્ટ અને અન્ય કલમ હેઠળ મામલો દાખલ કર્યો છે. હાલ સરફરાજ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે. નોંધનીય છે કે ફિલ્મી કેરિયરમાં સારું એવું નામ કમાનાર જીન્નતે હંમેશા પર્સનલ લાઇફમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. બોલ્ડ અભિનેત્રીની ઇમેજ ધરાવનાર જીન્નતે 1985માં અભિનેતા મજહર ખાન સાથે ચૂપચાપ લગ્ન કરી દીધા હતા. પણ મજહરને ડ્રગ્સની લત હતી અને તેના કારણે તેમણે જીન્નત સાથે મારપીટ પણ કરી હતી. લગ્નથી જન્નતને બે પુત્રો છે. 1998માં મજહરનું કેન્સરથી મોત થયું હતું. પણ મરતા દમ સુધી જીન્નતે તેના પતિનો સાથ છોડ્યો નહતો. અને તેને સમર્પિત રહી હતી. એક સમયે મિસ એશિયા રહી ચૂકેલી જીન્નત બોલીવૂડની સફળ અભિનેત્રીઓમાંથી એક છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
