દિગ્ગજ બંગાળી ફિલ્મ નિર્માતા બુદ્ધદેવ દાસગુપ્તાનું નિધન, મમતા બેનર્જીએ જતાવ્યુ દુખ
દિગ્ગજ બંગાળી ફિલ્મ નિર્માતા બુદ્ધદેબ દાસગુપ્તાનું આજે 77 વર્ષની વયે અવસાન થયું છે. દક્ષિણ કોલકાતામાં તેમના ઘરે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલ મુજબ બુદ્ધદેવ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા અને ડાયાલિસિસ પર હતા. તે
દિગ્ગજ બંગાળી ફિલ્મ નિર્માતા બુદ્ધદેબ દાસગુપ્તાનું આજે 77 વર્ષની વયે અવસાન થયું છે. દક્ષિણ કોલકાતામાં તેમના ઘરે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલ મુજબ બુદ્ધદેવ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા અને ડાયાલિસિસ પર હતા. તેમને પણ કિડનીની તકલીફ હતી, ત્યારબાદ બુધદેબ દાસગુપ્તાનું આજે સવારે આઠ વાગ્યે અવસાન થયું હતું. ફિલ્મ નિર્માતા રાજ ચક્રવર્તીએ પણ બુદ્ધદેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ બુદ્ધદેવ દાસગુપ્તાના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું હતુ કે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બુદ્ધદેવ દાસગુપ્તાના નિધનથી દુખી છુ. તેમના કામ સાથે, તેમણે સિનેમાની ભાષામાં સંગીતને મિશ્રિત કર્યું. તેમનું નિધન ફિલ્મ સમુદાયને મોટું નુકસાન છે. હું તેના પરિવાર, પ્રિયજનો અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
બુદ્ધદેવ દાસગુપ્તની પાંચ ફિલ્મોએ નેશનલ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. જ્યારે તેમને બે ફિલ્મ્સ માટે સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો બિરુદ પણ અપાયું હતું. સ્પેનના મેડ્રિડમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં 27 મે 2008 ના રોજ તેમને લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. બુદ્ધદેવ દાસગુપ્તાની શ્રેષ્ઠ ફિલ્મો વિશે વાત કરએ જેણે તેમને એક અલગ ઓળખ અને ખ્યાતિ આપી, તે બાગ બહાદુર, લાલ દરગાહ, કાલપુરુષ છે. આ સિવાય મિથુન ચક્રવર્તી સ્ટારર તહાદર કથા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
